Site icon News Continuous Bureau | Mumbai

એનસીપીના આ મોટા નેતાનો જમાઈ ફસાયો ડ્રગ્સ કેસમાં.. તપાસ શરુ.. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
13 જાન્યુઆરી 2021

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિકના જમાઇ સમીર ખાનને સમન્સ પાઠવ્યું છે. તેની પાસેથી 200 કિલો ડ્રગ્સ કબજે કરવાના કેસમાં આ સમન્સ બહાર પાડવામાં આવ્યું છે. એનસીબી (NCB) એ  એનસીપી નેતાના જમાઇ સમીર ખાનને મુંબઈના પ્રખ્યાત 'મુચ્છડ પાનવાલા' ના માલિક રામકુમાર તિવારીની ધરપકડ બાદ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.

Join Our WhatsApp Channel

મળતી માહિતી પ્રમાણે એનસીબી દ્વારા સમર ખાનને મંગળવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સમન્સ મોકલવામાં આવ્યું. જે બાદ સમીર ખાન આજે પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી ગયો છે. સૂત્રો કહે છે કે સમીર ખાનનું નામ બ્રિટીશ નાગરિક કરણ સજાનીના નિવેદનમાં આવ્યું છે અને ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ છે. સમીર અને કરણ ઘણાં વર્ષોથી એક બીજાને ઓળખતા હતા.

એનસીબીનું કહેવું છે કે ગૂગલ પે દ્વારા કરણ અને સમીર ખાન વચ્ચે 20,000 રૂપિયાની લેવડદેવડ થઈ હતી. તપાસ એજન્સીએ સમીર ખાનને આની સત્યતા જાણવા માટે બોલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમીરખાનના લગ્ન નવાબ મલિકની પુત્રી નીલોફર સાથે થયા છે.

નોંધપાત્ર વાત એ છે કે ગયા અઠવાડિયે એક કેસમાં બ્રિટિશ નાગરિક કરણ સજાની સહિત ત્રણ લોકોને ખાર અને બાંદ્રા વિસ્તારમાંથી 200 કિલોગ્રામ માદક દ્રવ્યો સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન મુંબઈના  પ્રખ્યાત 'મુચ્છડ પાનવાળા' દુકાનના માલિક રામકુમાર તિવારીનું નામ બહાર આવ્યું હતું, જેની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

Mumbai Sakinaka Assault Case। માથું દીવાલ પર પછાડી સાળાને ગંભીર ઈજા પહોંચાડી બનેવી ફરાર થયો હતો; સાકીનાકા પોલીસે ઝીણવટભરી તપાસ બાદ દબોચ્યો
Mumbai Andheri SRA Fraud। અંધેરીમાં સસ્તા એસઆરએ ફ્લેટની લાલચ આપી દંપતી સાથે ૩૦.૫૦ લાખની ઠગાઈ એક મુખ્ય આરોપીની ધરપકડ
Kalyan Khadakpada Murder Case। કૌટુંબિક વિવાદમાં ભાભીની કરપીણ હત્યા કરી ભાગેલો આરોપી દિયર ઝારખંડ સરહદેથી ઝડપાયો
Mumbai GST Scam Malad। પતિના અવસાન બાદ મહિલા સાથે દગાખોરી લોનની લાલચ આપી જીએસટી આઈડીપાસવર્ડ મેળવ્યા, કંપનીના નામે ૭ કરોડના નકલી વ્યવહારો કર્યા
Exit mobile version