Site icon

હવે જેમને કોરોના ના લક્ષણો દેખાતા નથી અને કોરોના નો કેસ કોમ્પ્લિકેટેડ નથી તેમને હોસ્પિટલમાં એડમિશન નહીં મળે. પાલિકા નો નવો ફતવો…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ

મુંબઈ શહેરમાં હવે જે વ્યક્તિ ને કોરોના થઈ ગયો છે પરંતુ તે કોરોના ના શારીરિક લક્ષણ નથી દેખાઈ રહ્યા. આ ઉપરાંત જે વ્યક્તિ નો કોરોના કોમ્પ્લિકેટેડ સ્ટેજ સુધી પહોંચ્યો નથી તે વ્યક્તિને હવે હોસ્પિટલમાં એડમિશન નહીં મળે.

Join Our WhatsApp Community


મુંબઈ મહાનગરપાલિકાના આયુક્ત ઈકબાલ સિંઘ ચહલે આ જાહેરાત કરી છે.  આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ એક ગાઈડ લાઈન પણ જાહેર કરી છે. મુંબઈ મહાનગરપાલિકાએ આદેશ આપ્યો છે કે તમામ ખાનગી હોસ્પિટલમાં 80% બેડ કોરોના માટે આરક્ષિત રહેશે જ્યારે કે icu બેડ માં ૧૦૦ ટકા કોરોના ના દર્દીઓને આરક્ષણ આપવામાં આવશે. 
મુંબઈ મહાનગરપાલિકાએ આ પગલું આવનાર દિવસોમાં કોરોના ના દર્દીઓ વધતાં પરિસ્થિતિને શી રીતે પહોચી વળવી તેના ગેમ પ્લાન રૂપે લીધું છે.
જોકે એક વાત નક્કી છે કે હવે અન્ય વ્યાધિથી પીડાતા દર્દીઓને હોસ્પિટલમાં એડમિશન લેવાની સમસ્યા થઈ શકે છે.
મુંબઈ મહાનગરપાલિકાએ એવું પણ જણાવ્યું છે કે જે દર્દીમાં કોરોના ના લક્ષણ દેખાય નથી રહ્યા તેઓને સરકારી કોરન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવે.

Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Cyber Fraud:બોમ્બે હાઈકોર્ટના જજ સાયબર ઠગાઈનો શિકાર: ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સના નામે ₹6 લાખની છેતરપિંડી
Gas Cylinder Theft in Kandivali:કાંદિવલીમાં તસ્કરોનો આતંક: ટેમ્પોના લોક તોડી ૨૭ ગેસ સિલિન્ડરની ચોરી, ચારકોપ પોલીસ દ્વારા તપાસ તેજ.
Massive fire in Andheri:અંધેરીમાં ભીષણ આગ: મહાકાલી કાવ્ઝ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ધુમાડાના કાળા ગોટા.
Exit mobile version