Site icon News Continuous Bureau | Mumbai

સચિન વાઝેની હવે સીબીઆઈ આ કારણથી કરશે તપાસ, કોર્ટે આપી મંજૂરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022,    

Join Our WhatsApp Community

મંગળવાર,

મુંબઈ સેશન્સ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીઓની પુનઃ તપાસ માટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારી લીધી છે.

અનિલ દેશમુખના અંગત મદદનીશ સંજીવ પલાંડે અને સેક્રેટરી કુંદન શિંદે, જેમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજેન્સી (NIA) કોર્ટમાં અરજી દાખલ કરી બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેની પુનઃ તપાસની માંગ કરી હતી. આની નોંધ લેતા કોર્ટે સીબીઆઈને ત્રણેયની બે દિવસ સુધી પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.

મની લોન્ડરિંગ કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને NCP નેતા અનિલ દેશમુખ દ્વારા PMLA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી દરમિયાન સીબીઆઈ દ્વારા દાખલ આ અરજી પણ સુનાવણી કરવામાં આવી હતી.

જીનોમ સિક્વેન્સિંગનો ચોંકાવનારો અહેવાલ, મુંબઈમાં ત્રીજી લહેરમાં આટલા ટકા દર્દી ઓમીક્રોનના; જાણો વિગત

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્ય પ્રધાનને લખેલા લેટર બોમ્બના કારણે મુશ્કેલીમાં ફસાયેલા દેશમુખ સામે EDએ મની લોન્ડરિંગના આરોપોની તપાસ શરૂ કરી છે. 12 કલાકની પૂછપરછ બાદ 21 એપ્રિલે દેશમુખની 1 નવેમ્બરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી દેશમુખ આર્થર રોડ જેલમાં બંધ છે. 29 ડિસેમ્બર, 2021ના રોજ, EDએ દેશમુખ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વિશેષ

કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ લગભગ 7,000 પાનાની છે. ચાર્જશીટ બાદ દેશમુખે પીએમએલએ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી છે.

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version