Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર: મુંબઈમાં રસીકરણ અભિયાન પૂરઝડપે, શહેરમાં હવે ફક્ત આટલા ટકા લોકોની વેક્સિનેશન બાકી. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 નવેમ્બર  2021 
ગુરુવાર.

કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા વેક્સિનેશન અભિયાનને ભરપૂર સફળતા મળી છે. મુંબઈમાં હવે ફક્ત 1 ટકા મુંબઈગરાની વેક્સિન લેવાની બાકી છે. તો 18 વર્ષથી ઉપરના લોકોની કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લેનારાની સંખ્યા 99 ટકા છે તો બીજો ડોઝ લેનારાની સંખ્યા 63 ટકા પર પહોંચી ગઈ છે. આ દરમિયાન 2થી 18 વર્ષના વય ગ્રુપના 33 લાખ બાળકોનું વેક્સિનેશન હજી બાકી છે.

Join Our WhatsApp Channel

વોર્ડની ફેરરચનાથી પૂર્વ ઉપનગરમાં અને પશ્ચિમ ઉપનગરમાં આટલા વોર્ડની સંખ્યા વધશે. જાણો વિગત.

દેશભરમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. મુંબઈમાં લગભગ 92,36,500 પાત્રતા ધરાવતા નાગરિકો કોરોનાની વેક્સીન માટે પાત્ર છે. તેમાંથી 10 નવેમ્બર 2021ના સાંજના છ વાગ્યા સુધી 92,04,950  (99 ટકા) લોકોએ પહેલો ડોઝ તો 58,62,933 (63 ટકા) બીજો ડોઝ લીધો છે.
16 જાન્યુઆરી, 2021થી વેક્સિનેશન ચાલુ થયા બાદ 5 મે 2021 સુધી 25 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. 26 જૂન 2021 રોજ 50 લાખ, 7 ઓગસ્ટ સુધી 75 લાખ, ચાર સપ્ટેમ્બર સુધી 1 કરોડ, 28 સપ્ટેમ્બર સુધી 1 કરોડ 25 લાખ અને 10 નવેમ્બર સુધી 1 કરોડ 50 લાખ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version