Site icon

સારા સમાચાર! મુંબઈની ઝૂંપડપટ્ટી અને ચાલીઓ થઈ કોરોનામુક્ત; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના દર્દીમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. સોમવારે મુંબઈમાં માત્ર 190 દર્દી નોંધાયા હતા અને માત્ર ત્રણનાં મોત થયાં હતાં. હાલ મુંબઈમાં માત્ર 2,749 કોરોનાના દર્દી પર સારવાર ચાલી રહી છે. કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવવાની સાથે જ મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓ પણ કોરોનામુક્ત થઈ ગઈ છે. સોમવાર સુધી મુંબઈમાં ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં એક પણ કન્ટેઈન્મેન્ટ ઝોન નહોતો. 

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવતાંની સાથે જ તબક્કાવાર નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. દુકાન, હૉટેલ ખોલ્યા બાદ ચોપાટી, બગીચા અને મેદાનો પણ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ આપી દેવામાં આવી છે. સોમવારના મુંબઈમાં 200થી પણ નીચે નવા દર્દી નોંધાયા હતા. દર્દી ઘટવાની સાથે જ ચાલી અને ઝૂંપડપટ્ટી પણ કોરોનામુક્ત થઈ ગઈ છે. જોકે હાલ મુંબઈમાં 21 જેટલાં બિલ્ડિંગ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હજી પણ છે.

Join Our WhatsApp Community

બાપરે! દહિસરના કોવિડ સેન્ટરમાંથી પકડાયો આટલો મોટો અજગર; જાણો વિગત

Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Cyber Fraud:બોમ્બે હાઈકોર્ટના જજ સાયબર ઠગાઈનો શિકાર: ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સના નામે ₹6 લાખની છેતરપિંડી
Gas Cylinder Theft in Kandivali:કાંદિવલીમાં તસ્કરોનો આતંક: ટેમ્પોના લોક તોડી ૨૭ ગેસ સિલિન્ડરની ચોરી, ચારકોપ પોલીસ દ્વારા તપાસ તેજ.
Massive fire in Andheri:અંધેરીમાં ભીષણ આગ: મહાકાલી કાવ્ઝ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ધુમાડાના કાળા ગોટા.
Exit mobile version