Site icon

સારા સમાચારઃ ભક્તો પરથી વિઘ્ન હટ્યું, ઓનલાઈન બુકિંગ વગર થઈ શકશે ગણપતિ બાપ્પાના દર્શન; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

આખરે બે વર્ષ બાદ ગણશેભક્તોને સિદ્ધિવિનાયક મંદિરમાં (Shri Siddhi Vinayak Ganapati Mandir) દર્શન કરવા માટે ઓનલાઈન બુકિંગ કરવાથી છૂટકારો મળ્યો છે. હવે ભક્તો સીધા મંદિરે પહોંચીને પણ ગણપતિ બાપ્પાના વગર કોઈ વિધ્ને દર્શન કરી શકશે.

Join Our WhatsApp Community

કોરોના મહામારીને પગલે અગાઉ ધાર્મિક સ્થળો બંધ રહ્યા હતા. ત્યારબાદ જોકે મંદિરનો અનેક પ્રતિબંધો હેઠળ ફરી ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોને દર્શન માટે ઓનલાઈન બુકિંગ કરીને ક્યુઆર કોડ લઈને જ પ્રવેશ આપવામાં આવતો હતો. તેને કારણે અનેક સિનિયર સિટિઝન સહિતના લોકોને મંદિરમાં જવાને ભારે અડચણો આવતી હતી.

હવે રાજ્યમાં કોરોના પ્રતિબંધક તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસને પણ મંદિરોમાં ભક્તોને માટે મુકવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની સાથે જ ઓનલાઈન દર્શન બુક કરવાની સિસ્ટમને બંધ કરી છે.

આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે!!! આ બે સ્ટેશનો વચ્ચેના કામને પગલે મુંબઈથી ઉત્તર તરફ આવનારી- જનારી ટ્રેનો પડશે મોડી. જાણો વિગતે

સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટ આદેશ બાંદેકરે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે સરકારી ગાઈડલાઈન મુજબ તમામ નિયંત્રણો હટાવવામાં આવ્યા છે. ભક્તો હવે સીધા મંદિર આવીને પણ ગણપતિ બાપ્પાને દર્શન કરી શકશે. જોકે એ સાથે જ ઓનલાઈન બુકિંગની સગવડ પણ ચાલુ રાખવામાં આવી છે. ભક્ત ઓનલાઈન બુકિંગ કરીને પણ દર્શન માટે આવી શકે છે. 

મંદિરના ટ્રસ્ટે ઓનલાઈન બુકિંગ પદ્ધતિ બંધ કરી છે, તેથી મંદિરમાં લગભગ બે વર્ષના લાંબા ગાળા બાદ ભક્તોના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે મંદિરમાં આવી રહ્યા છે.

Dahisar Minor Girl Assault Case: દહિસરમાં માનવતા શર્મસાર: ૧૮ મહિનાની માસૂમ બાળકીનું અપહરણ કરી નરાધમ સંબંધીએ આચર્યું દુષ્કર્મ; ૨૪ કલાકમાં આરોપીની ધરપકડ.
Bhandup Murder Shocker: ભાંડુપમાં સામાન્ય બોલાચાલીનું લોહીયાળ પરિણામ: ૨૩ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપી જાલનાથી ઝડપાયો
Andheri West Burglary Case: અંધેરીમાં વેપારીના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું: ₹૫૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ૩ રીઢા ગુનેગારોની ધરપકડ.
Vidyavihar Hit-and-Run tragedy: વિદ્યાવિહાર હિટ-એન્ડ-રન: ૧૦ દિવસના સંઘર્ષ બાદ ૩૩ વર્ષીય યુવકનું મોત, માસૂમ દંપતીનો પરિવાર વેરવિખેર; પત્ની હજુ પણ વેન્ટિલેટર પર.
Exit mobile version