Site icon

મનપાનો અજબ કારભાર! અહીં આવેલા ફૂટઓવર બ્રિજ પરના છાપરા ખસેડ્યા, લોકો તડકે ચાલવા મજબુર; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર.

મુંબઈ મહાનગરપાલિકાનો અજબ કારભાર છે. ચર્ની રોડમાં રેલ્વે સ્ટેશન પાસે ફૂટઓવર બ્રિજ તો ઊભો કરી દીધો છે. પરંતુ તેના પર છત નાખવામાં જ આવી નથી. તેથી ભરચોમાસામાં તો લોકો છત નગર જ પૂલનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ઓક્ટોબરની હિટમા પણ નાગરિકો આ છત વગરનો પુલનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.

 પુલ ઉપર છત નહીં નાખવા માટે પાલિકાએ આપેલા કારણ પણ ગળે ઉતરે તેમાના નથી. પાલિકાના કહેવા મુજબ અહીં પુલ પર છત નાખવાથી ફેરિયાઓ ગેરકાયદે રીતે પુલ પર અડિંગો જમાવી દેશે. એ સાથે જ ભિખારીઓ અને ચરસીઓ પણ દિવસ રાત તેના પર પડયા રહેશે. 

NCPના આ નેતાએ NCBના અધિકારી સમીર વાનખેડેને આપી આ ધમકીઃ જાણો વિગત.

ચર્ની રોડ સ્ટેશન પાસેના જૂનો પુલ સીધો ડો.ભાલેરાવ માર્ગથી કેળેવાડીથી ગિરગા જતો હતો. જોકે નવો પૂલ બનાવ્યા બાદ પણ પ્રવાસીઓને મહર્ષી કર્વે રોડ પરથી રસ્તો ક્રોસ કરીને કેળેવાડીથી ગિરગામ જવું પડે છે. કર્વે રોડ પરના ટ્રાફિકમાંથી રસ્તો કાઢીને જવું એટલે માથાનો દુખાવો છે. 

અગાઉ નવો પુલ બાંધતા સમયે તેના પર છત નાખવાનું આશ્ર્વાસન પાલિકાએ આપ્યું હતું. જોકે ખાસ્સો સમય નીકળી ગયા બાદ પણ હવે છત નાખવાનું નામ નથી.

Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Mumbai Rain: મુંબઈને કાળા વાદળોએ ઘેર્યું, વીજળીના કડાકા સાથે ઉપનગરોમાં વરસાદ શરૂ, જાણો આગામી દિવસો માટે હવામાન વિભાગે શું કરી આગાહી
Exit mobile version