Site icon

મુંબઈના નવા પોલીસ કમિશનરે મુંબઈગરાને આપી ભેટ, મુંબઈમાં આટલા દિવસ વાહનોને ટોંઈગ નહીં કરાશે. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,

Join Our WhatsApp Community

સોમવાર,

મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ પદનો ભાર સ્વીકાર કરવાની સાથે જ મુંબઈગરાની ફરિયાદનો ઉકેલ લાવવાનું ચાલુ કરી દીધું છે. રસ્તા પર પાર્ક કરવામાં આવતા વાહનોને ખાનગી ટોઈંગ કંપની  દ્વારા ટોઈંગ કરીને મોટી માત્રામાં દંડ વસૂલ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદો આવી હતી. તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે એક અઠવાડિયા સુધી મુંબઈમાં કોઈ વાહનોને ટોઈંગ કરવામાં આવશે નહીં એવો આદેશ આપ્યો છે.

મુંબઈમાં ભલે બધું જ 100 ટકા ક્ષમતાએ ખુલ્યું પરંતુ રેલ્વેમાં ટિકિટ સંદર્ભેની આ સેવા બંધ જ રહેશે. જાણો વિગતે. 

રવિવારથી એક અઠવાડિયા સુધી મુંબઈમાં નો-પાર્કિગમાં પાર્ક કરવામાં આવેલા વાહનોને ટ્રાફિક પોલીસ ટોઈંગ કરશે નહી. પ્રાયોગિક ધોરણે એક અઠવાડિયા સુધી આ નિર્ણય અમલમાં રહેશે. તેનો કોઈ રિસ્પોન્સ મળે છે ત્યાર પછી અંતિમ નિર્ણય લઇશું. એવી પોલીસ કમિનશરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જાહેરાત કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે સંજય પાંડેએ પોલીસ કમિશનર પદનો ભાર સ્વીકાર કરવાની સાથે જ મુંબઈગરાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાનો મોબાઈલ નંબર લખીને મુંબઈગરાને કોઈ પણ તકલીફ હોય કે ફરિયાદ હોય તો તેમના નંબર પર સંપર્ક કરવાની અપીલ કરી હતી. તેમના આ પગલાને મુંબઈગરાને વધાવી લીધું હતું અને તેમના મોબાઈલ પર મુંબઈગરાએ અનેક ફરિયાદો નોંધાવી હતી જેમાની એક વાહનો ટોઈંગ કરીને જવાની હતી. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને કમિશનરે આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે.

 

Kandivali Charkop Accident: કાંદિવલીમાં કાળમુખા ડમ્પરની સ્કૂટીને જોરદાર ટક્કર: ચારકોપ પેટ્રોલ પંપ પાસે અકસ્માત; ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ.
Extortion at Groundbreaking Ceremony: મુંબઈના હિલ રોડ પર ભૂમિ પૂજનમાં ટ્રાન્સજેન્ડરોનો હોબાળો: ₹૫.૫ લાખની ખંડણી માંગતા ૪ની ધરપકડ.
BMC Encroachment Drive Dadar: દાદર, માટુંગા અને પરેલમાં ફૂટપાથ પરથી અતિક્રમણનો સફાયો; રાહદારીઓને મળશે અવરોધમુક્ત રસ્તો.
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version