Site icon

મુંબઈની એસ આર એ બિલ્ડિંગો માં લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા મામલે હવે કોર્ટ ની લડાઈ ચાલશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

એક મહિના અગાઉ મુંબઇના કાંદિવલી વિસ્તારમાં એસઆરએ ની બિલ્ડિંગમાં રહેનાર લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ધારાવી વિસ્તારના એક હજાર લોકોને તેમજ મુંબઈ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પૈસા આપીને ઘર ખરીદારો ની વિરુદ્ધમાં કાર્યવાહી તેજ કરવામાં આવી હતી.

સરકારી કાયદા મુજબ જે વ્યક્તિને સ્લમ રિહેબિલિટેશન નું ઘર આપવામાં આવ્યું હોય તે દસ વર્ષ પહેલાં તેને વેચી શકતો નથી. પરંતુ અનેક જગ્યાએ આવા ઘરો વેચાયા છે. આથી સરકારે ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી છે.

હવે પ્રભાવિત થયેલા એવા તમામ લોકોએ ભેગા થઈને કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ધારાવી વિસ્તારમાં રહેનારા લોકો એ સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ને કહેણ મોકલાવ્યું છે. તેમજ આગામી સપ્તાહમાં તે લોકો આ વિશે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ મળશે.

આમ લોકોના ઘર ખાલી કરાવવા મામલે હવે લોકો ની લડાઈ તીવ્ર બની છે.

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version