Site icon

તુનીષા આત્મહત્યા કેસમાં લવ જેહાદની એન્ટ્રી! આ બીજેપી નેતાએ કહ્યું- જો આમાં આવું કંઈ જોવા મળે તો…

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના આત્મહત્યા કેસ હવે રાજકીય રંગ લેતો જોવા મળી રહ્યો છે. આત્મહત્યાના આ કેસમાં હવે લવ જેહાદનો પણ પ્રવેશ થઈ ગયો છે. ભાજપના નેતા રામ કદમે કહ્યું છે કે જો આ મામલામાં લવ જેહાદ જણાશે તો અમે તપાસ કરાવીશું અને તુનીષાની માતાને ન્યાય અપાવીશું. વાસ્તવમાં શનિવારે ટીવી સીરિયલની અભિનેત્રી તુનીષા શર્માએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ટીવી સીરિયલ 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી.

tunisha sharma suicide case mumbai police finds secret letter on death spot

તુનિષા આત્મહત્યા કેસમાં પોલીસને હાથ લાગ્યો મહત્વનો પુરાવો, સુસાઈડ સ્પોટ પરથી મળ્યો તુનિષા નો 'લેટર', ખુલશે ઘણા રહસ્યો

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના આત્મહત્યા કેસ હવે રાજકીય રંગ લેતો જોવા મળી રહ્યો છે. આત્મહત્યાના આ કેસમાં હવે લવ જેહાદનો પણ પ્રવેશ થઈ ગયો છે. ભાજપના નેતા રામ કદમે કહ્યું છે કે જો આ મામલામાં લવ જેહાદ જણાશે તો અમે તપાસ કરાવીશું અને તુનીષાની માતાને ન્યાય અપાવીશું. વાસ્તવમાં શનિવારે ટીવી સીરિયલની અભિનેત્રી તુનીષા શર્માએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ટીવી સીરિયલ ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી.

Join Our WhatsApp Community

આત્મહત્યા બાદ તુનીષાની માતાએ તેના કો-એક્ટર શીઝાન એમ ખાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે કેસ નોંધીને શીજાનની ધરપકડ કરી હતી. કહેવાય છે કે બંને વચ્ચે અફેર હતું. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તુનીશાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

ભાજપના નેતાએ શું કહ્યું?

આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા રામ કદમે કહ્યું કે જો આ મામલામાં લવ જેહાદ જોવા મળે છે તો તેની પાછળ કોનું ષડયંત્ર છે અને ષડયંત્રમાં કોણ સામેલ છે તે શોધી કાઢીશું. તેમણે કહ્યું કે તુનિષા શર્માના પરિવારને ચોક્કસપણે ન્યાય મળશે.

આ સમાચાર પણ વાંચો: તુનિષા શર્માઃ તુનિષાની આત્મહત્યાએ મચાવી દીધી સનસનાટી, તમે અભિનેત્રી વિશે આ 7 વાતો નહીં જાણતા હોવ!

પોલીસના જણાવ્યા અનુસાર, તુનીષાની માતાની ફરિયાદના આધારે શીજાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તુનીશાની માતાનો દાવો છે કે તેની પુત્રી અને શીજાન એકબીજાને પ્રેમ કરતા હતા. તેનો આરોપ છે કે શીજને તેની એકમાત્ર પુત્રીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો છે.

તુનિષાએ સીરિયલના સેટ પર મેક-અપ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલા સેટ સ્ટાફે દરવાજો તોડી તેને બહાર કાઢ્યો અને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ ગૂંગળામણને કારણે થયું હતું.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version