Site icon

નવરાત્રિ નિમિત્તે દહિસરના આ નગરસેવિકાએ લીધો રસીકરણ ઝુંબેશનો સંકલ્પ; આટલા લોકોને મળી રસી: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

દહિસર વોર્ડમાં નવરાત્રિ રસીકરણનું આયોજન કરીને ઉજવાઈ છે. શિવસેનાના ઉપનેતા, મ્હાડાના સભાપતી વિનોદ ઘોસાળકરના માર્ગદર્શન હેઠળ વૉર્ડ નં. 1ના  શિવસેનાના નગરસેવિકા તેજસ્વી ઘોસાળકરના પ્રયત્નથી અને મહાનગરપાલિકાના સહકાર્યથી વિશેષ રસીકરણ ઝુંબેશનું આયોજન કરાયું હતું.

સુરાણા હોસ્પિટલના માધ્યમથી વિનામૂલ્યે વેક્સિનેશન ડ્રાઈવ યોજાઈ હતી. 'મારો વૉર્ડ, મારી જવાબદારી'  હેઠળ થયેલી આ ઝુંબેશમાં વૉર્ડની એક પણ વ્યક્તિ રસી લીધા વગર રહી ન જાય તેવો સંકલ્પ નવરાત્રિ નિમિત્તે ઘોસાળકરે લીધો હતો. 

આંતર ધર્મ/જાતિમાં વિવાહ કરવા માટે અને નિભાવી રાખવા માટે આ રાજ્ય દ્વારા યુગલ દંપતિઓને પુરસ્કારિત કરવામાં આવ્યાં; જાણો વિગતે

બોરીવલી વેસ્ટના ગણપત પાટીલ નગરમાં 8, 9 અને 10 ઓક્ટોબર એમ ત્રણ દિવસની શિબિર યોજાઈ હતી. શિબિર માટે ૧૨ હજાર ડોઝ મળ્યા હતા. નાગરિકોના આગ્રહને લીધે ચોથા દિવસે પણ રસીકરણ લંબાવાયુ હતું. ચાર દિવસ દરમિયાન ૧૧,૪૦૦ નાગરિકોએ રસી લીધી હતી.

સંપૂર્ણ રાજ્ય કોરોના મુક્ત કરવાનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાહન અનુસાર આ વિશેષ રસીકરણ મુહિમ યોજાઈ હતી. જેની માહિતી વિનોદ ઘોસાળકરે આપી હતી.

Chaitanya Malik Goa: ગોવાના ચૈતન્ય મલિકને કૃષિ ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન: પ્રજાસત્તાક દિને ‘કૃષિ વિભૂષણ’ એવોર્ડથી નવાજાયા પણજી, ગોવા:
Mumbai: મુંબઈમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિઘ્ન: ઘાટકોપરમાં તિરંગા રેલીમાં જૂથ અથડામણથી ખળભળાટ; જાણો શું હતો સમગ્ર વિવાદ
Mumbai Metro Update 2026: લોકલ ટ્રેનનું ભારણ ઘટશે! ૨૦૨૬માં મુંબઈને મળશે ૩ નવી મેટ્રો લાઇનનું નજરાણું; લોકાર્પણની તારીખ અને રૂટની સંપૂર્ણ વિગત.
Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Exit mobile version