Site icon News Continuous Bureau | Mumbai

ત્રીજી લહેરના સંભવિત ખતરાને જોતા બીએમસીનો મહત્વપૂર્ણ નિર્ણય, મુંબઇના આ રસીકરણ કેન્દ્રો પર અપાશે માત્ર 2જો ડોઝ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

કોરોનાનો પ્રકોપ ફરીથી વધે નહીં તે માટે દરેકે રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. 

આ વાતને ધ્યાનમાં રાખીને મુંબઇના બધા જ સરકારી અને મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રો પર આજે કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તે લાભાર્થીઓ માટે વિશેષ સત્રનુ આયોજન કર્યું છે. તેથી ગુરુવારે પ્રથમ ડોઝ નહી અપાય. 

અગાઉ ગત 4 સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રાખવામાં આવ્યું હતું. ત્યારે નાગરિકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. તે દિવસે ૧,૭૯,૯૩૨ લોકોએ બીજો ડોઝ લીધો હતો.

બીજા ડોઝના લાભાર્થીઓ આ બીજા સત્રનો વધુમાં વધુ લાભ લે તેવું આવાહન પાલિકાએ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે સરકારના બ્રેક ધ ચેન આદેશોની સુધારિત માર્ગદર્શક સુચનાઓ મુજબ બંને ડોઝ લીધેલા લોકોને રેલવેમાં પ્રવાસ કરવાની છૂટ મળી છે. તેમજ કેટલીક ખાનગી ઓફિસોમાં પૂર્ણ રસીકરણ થયેલા કર્મચારીઓને ઉપસ્થિત રહેવાની પરવાનગી અપાઈ છે. 

 

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version