Site icon

ત્રીજી લહેરના સંભવિત ખતરાને જોતા બીએમસીનો મહત્વપૂર્ણ નિર્ણય, મુંબઇના આ રસીકરણ કેન્દ્રો પર અપાશે માત્ર 2જો ડોઝ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

કોરોનાનો પ્રકોપ ફરીથી વધે નહીં તે માટે દરેકે રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. 

આ વાતને ધ્યાનમાં રાખીને મુંબઇના બધા જ સરકારી અને મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રો પર આજે કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તે લાભાર્થીઓ માટે વિશેષ સત્રનુ આયોજન કર્યું છે. તેથી ગુરુવારે પ્રથમ ડોઝ નહી અપાય. 

અગાઉ ગત 4 સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રાખવામાં આવ્યું હતું. ત્યારે નાગરિકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. તે દિવસે ૧,૭૯,૯૩૨ લોકોએ બીજો ડોઝ લીધો હતો.

બીજા ડોઝના લાભાર્થીઓ આ બીજા સત્રનો વધુમાં વધુ લાભ લે તેવું આવાહન પાલિકાએ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે સરકારના બ્રેક ધ ચેન આદેશોની સુધારિત માર્ગદર્શક સુચનાઓ મુજબ બંને ડોઝ લીધેલા લોકોને રેલવેમાં પ્રવાસ કરવાની છૂટ મળી છે. તેમજ કેટલીક ખાનગી ઓફિસોમાં પૂર્ણ રસીકરણ થયેલા કર્મચારીઓને ઉપસ્થિત રહેવાની પરવાનગી અપાઈ છે. 

 

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version