Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારનો આ તો કેવો કારભાર? 4,700 બેડરીડનમાંથી આટલા લોકોને જ ઘરે વેકિસન મળી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બીમાર તથા શારીરિક રીતે અક્ષમ હોય એવા બેડરીડન લોકોને ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાની મુંબઈ પાલિકાએ ઝુંબેશ ચાલુ કરી છે. એમાં અત્યાર સુધી મુંબઈમાં 4,715 બેડરીડન લોકોએ ઘરે વેક્સિન લેવા પોતાનાં નામ નોંધાવ્યાં છે, પરંતુ અત્યાર સુધી માત્ર 602 લોકોને જ ઘરે જઈને વેકિસન આપવામાં આવી છે. એથી મહારાષ્ટ્ર સરકાર સહિત મુંબઈ મહાનગરપાલિકાના કારભાર સામે આંગળી ચીંધાઈ રહી છે.

ઘાટકોપર વિસ્તારમાં અજાણ્યા લોકોએ બર્થડે નિમિત્તે રસ્તા પર ૩૩ કેક કાપી, આવતા-જતા લોકો પર કેક ફેંકી; જુઓ વીડિયો

અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે વર્ષોથી પથારીમાં હોય તેવા લોકોને ઘરે જઈને વેક્સિન આપવાની યોજના જાહેર કરી હતી. પાલિકા બિનસરકારી સંસ્થાની મદદથી ઘરે જઈને વેક્સિન આપી રહી છે. જોકે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું હોવાથી રજિસ્ટર્ડ થયેલા લોકોને પાલિકા ક્યારે વેકિસન આપી રહેશે એવા સવાલ થઈ રહ્યા છે. ત્યારે  પાલિકાના કહેવા મુજબ બેડરિડન લોકોને તેઓ છ મહિનાથી પથારીવશ હોવાનું ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં મોડું થઈ રહ્યું છે. એથી વેક્સિનેશન પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

Goregaon Construction Site Accident। ગોરેગાંવમાં બાંધકામ સાઇટ પર કરંટ લાગતાં ૩૪ વર્ષીય શ્રમિકનું કરુણ મોત, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો દાખલ
Mumbai Traffic Fraud।ટ્રાફિક દંડથી બચવા મુંબઈમાં ટેમ્પો પર લગાવી બોગસ નંબર પ્લેટ, પવઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
Cyber Crime। મુંબઈમાં નિવૃત્ત મર્ચન્ટ નેવી ઓફિસર સાથે ૧.૬૮ કરોડની મહાઠગાઈ, દુબઈથી પરત ફરેલો એન્જિનિયર ઝડપાયો
Mumbai Crime Branch Success। પશ્ચિમ બંગાળના ચકચારી ફાયરિંગ અને બ્લાસ્ટ કેસના ૩ મુખ્ય આરોપીઓ મુંબઈના દેવનારમાંથી ઝડપાયા
Exit mobile version