Site icon News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવની ઉજવણી આ વર્ષે પણ ફિક્કી રહેશે, અત્યાર સુધી માત્ર આટલાં મંડળોએ મંજૂરી માટે BMCમાં કરી અરજી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ગણેશોત્સવનો તહેવાર નજીક છે, પરંતુ કોરોનાને પગલે આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી ફિક્કી રહેશે એવું જણાય છે. મુંબઈમાં ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મંજૂરી લેવાની હોય છે. જોકે અત્યાર સુધી ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા માત્ર 989 મંડળોએ જ અરજી કરી છે. એમાંથી 74 અરજી તો અપૂરતા દસ્તાવેજોને કારણે ફગાવી  દેવામાં આવી છે. અત્યાર સુધી માત્ર 200 મંડળોને જ મંજૂરી મળી છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું મિશન ચાલુ, આજે 146 લોકો દિલ્હી પહોંચ્યા ; જાણો  એક સપ્તાહમાં કેટલા લોકો પરત આવ્યા
ગયા વર્ષે કોરોનાને પગલે અનેક મોટાં સાર્વજનિક મંડળોએ ગણેશોત્સવની ઉજવણી રદ કરી હતી. અમુક મંડળોએ સાદાઈથી ઉજવણી કરી હતી. આ વર્ષે પણ કોરોનાનું જોખમ માથે હોવાથી સાદાઈથી જ તહેવાર ઊજવવાની અપીલ સરકારે કરી છે. અમાં પાછું કોરોનાને પગલે ગણેશ મંડળોને અપેક્ષા મુજબનું ડોનેશન પણ નથી મળી રહ્યું. એની અસર ગણેશોત્સવની ઉજવણીમાં જોવા મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લગભગ 12,000 જેટલાં સાર્વજનિક ગણેશ મંડળો છે. એની સામે ગયા વર્ષે માત્ર 6,443 મંડળોને મંજૂરી મળી હતી.  

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version