Site icon News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવની ઉજવણી આ વર્ષે પણ ફિક્કી રહેશે, અત્યાર સુધી માત્ર આટલાં મંડળોએ મંજૂરી માટે BMCમાં કરી અરજી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ગણેશોત્સવનો તહેવાર નજીક છે, પરંતુ કોરોનાને પગલે આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી ફિક્કી રહેશે એવું જણાય છે. મુંબઈમાં ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મંજૂરી લેવાની હોય છે. જોકે અત્યાર સુધી ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા માત્ર 989 મંડળોએ જ અરજી કરી છે. એમાંથી 74 અરજી તો અપૂરતા દસ્તાવેજોને કારણે ફગાવી  દેવામાં આવી છે. અત્યાર સુધી માત્ર 200 મંડળોને જ મંજૂરી મળી છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું મિશન ચાલુ, આજે 146 લોકો દિલ્હી પહોંચ્યા ; જાણો  એક સપ્તાહમાં કેટલા લોકો પરત આવ્યા
ગયા વર્ષે કોરોનાને પગલે અનેક મોટાં સાર્વજનિક મંડળોએ ગણેશોત્સવની ઉજવણી રદ કરી હતી. અમુક મંડળોએ સાદાઈથી ઉજવણી કરી હતી. આ વર્ષે પણ કોરોનાનું જોખમ માથે હોવાથી સાદાઈથી જ તહેવાર ઊજવવાની અપીલ સરકારે કરી છે. અમાં પાછું કોરોનાને પગલે ગણેશ મંડળોને અપેક્ષા મુજબનું ડોનેશન પણ નથી મળી રહ્યું. એની અસર ગણેશોત્સવની ઉજવણીમાં જોવા મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લગભગ 12,000 જેટલાં સાર્વજનિક ગણેશ મંડળો છે. એની સામે ગયા વર્ષે માત્ર 6,443 મંડળોને મંજૂરી મળી હતી.  

Mantralaya Fraud| મંત્રાલયમાં વગ હોવાની લાલચ આપી ૭ લોકો સાથે ૯૧ લાખની છેતરપિંડી, મરીન ડ્રાઈવ પોલીસે ગુનો નોંધ્યો
Vipul Roy| અભિનેતા વિપુલ રોયના ઘરે ચોરી ઘરઘાટી મહિલાએ ૭.૧ લાખની રોકડ અને સોનાના દાગીનાની કરી ચોરી
Devendra Fadnavis| સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મુંબઈ પોલીસની સાયબર વિંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Mumbai Local Train| મહિલા કોચમાં બુરખો પહેરીને ઘૂસેલા પુરુષનો પર્દાફાશ, મહિલા મુસાફરોની સતર્કતાથી ઝડપાયો શખ્સ
Exit mobile version