Site icon

Mumbai: મુંબઇ મેટ્રોમાં ડબ્બા નાના પડે એટલી ભીડ! કોચની સંખ્યા વધારીને આટલા કરવાની ઉઠી માંગ..

Mumbai: મુંબઈ મેટ્રો પીક અવર્સ દરમિયાન 3.5 મિનિટ અને ઑફ-પીક અવર્સ દરમિયાન 6-8 મિનિટના અંતરાલથી ચાલે છે. આ મેટ્રોમાં જે રીતે લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે તે જોઈને લાગે છે કે મેટ્રોની હાલત પણ લોકલ જેવી થતી જઈ રહી છે.

Overcrowding in Mumbai Metro is out of control. People's demand has increased by increasing the number of metro coaches

Overcrowding in Mumbai Metro is out of control. People's demand has increased by increasing the number of metro coaches

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈ મેટ્રોમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ ખામીના ( technical defects ) કારણે જાહેર મેટ્રો અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હોય આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ ઘટના શુક્રવારે મુંબઈ મેટ્રો 1 ( Metro 1 ) (વર્સોવાથી ઘાટકોપર) સાથે બની હતી, જ્યાં મેટ્રોએ ટ્વીટ કર્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે મેટ્રો મોડી પડી શકે છે. તેથી, ભીડનો ( Overcrowd ) અંદાજ લગાવીને તમારી મુસાફરીની યોજના બનાવો. એવુ પોસ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં સ્ટેશન પર લોકોની ભીડ વધી ગઈ હતી. 

Join Our WhatsApp Community

નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે સ્ટેશન પર આટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોય. પીક અવર્સ દરમિયાન સ્ટેશન પર દરરોજ ઘણી ભીડ હોય છે. જો કે, આજદિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીક અવર્સ ( Peak hours ) દરમિયાન છ થી આઠ કોચવાળી ( Metro Coach ) મેટ્રો દોડાવવામાં આવે તેવી માંગ ઘણી વખત કરવામાં આવી છે, પરંતુ તેની દર વખતે આ માંગની અવગણના કરવામાં આવી રહી છે. પરિણામ એ છે કે ભીડમાં સતત વધારો જ થતો જઈ રહ્યો છે.

  4 કોચવાળી આ મેટ્રોમાં 1600 મુસાફરો મુસાફરી કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે..

મેટ્રો 1, મુંબઈની પ્રથમ મેટ્રો ( Mumbai Metro ) લાઇન, મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ (MMOPL) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ), સંયુક્ત સાહસ દ્વારા સંચાલિત છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી ( MMRDA ) તેમાં 26 ટકા હિસ્સો ધરાવે છે. હાલમાં મેટ્રો રૂટ પર દરરોજ ચાર કોચની 398 ટ્રીપ ચલાવવામાં આવી રહી છે અને એક સપ્તાહમાં લગભગ 4.35 લાખ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરે છે. 4 કોચવાળી આ મેટ્રોમાં 1600 મુસાફરો મુસાફરી કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: હેરાનગતિ… માટુંગામાં રેલવે દ્વારા આ રાહદારી પુલ ત્રણ મહિના માટે કરાયો બંધ..

નોંધનીય છે કે 2014માં આ મેટ્રો શરૂ થઈ તે પહેલા કરવામાં આવેલા અભ્યાસમાં એવો અંદાજ હતો કે 2021માં 6.65 લાખ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરવાની શક્યતા છે, પરંતુ કોચની સંખ્યા ઓછી હોવાને કારણે આ શક્ય બન્યું.નથી. આ મેટ્રો પીક અવર્સ દરમિયાન 3.5 મિનિટ અને ઑફ-પીક અવર્સ દરમિયાન 6-8 મિનિટના અંતરાલથી ચાલે છે. આ મેટ્રોમાં જે રીતે લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે તે જોઈને લાગે છે કે મેટ્રોની હાલત પણ લોકલ જેવી થતી જઈ રહી છે.

-સાપ્તાહિક સરેરાશ મુસાફરોની સંખ્યા – 4.35 લાખ

-કોચ – 4

-1 મેટ્રોની ક્ષમતા – 1600

-અઠવાડિયાના દિવસોમાં મેટ્રોની સફર – દરરોજ 408

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version