ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ શહેરમાં હવે કોરોના ગ્રસ્ત દર્દીઓ ના ઈલાજ માટે ચાલી રહેલી પ્લાઝમા થેરાપી ને બંધ કરવામાં આવી છે. વાત એમ છે કે દર્દીઓ માટે પ્લાઝમા મેળવવા એ ઘણી મોટી કવાયત છે. પ્લાઝમા માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ ઉત્સુકતા નથી દાખવી રહ્યા. બીજી તરફ બ્લડ ડોનેશન ઝડપથી ઓછું થયું છે. કોરોનાને કારણે લોકડાઉન હોવાથી આવી કોઈ ગતિવિધિ થઇ રહી નથી. આ કારણથી મુંબઈમાં હવે પ્લાઝમા થેરાપી નો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. આ સમયે મહાનગરપાલિકાના ડોક્ટરો નોંધ્યું છે કે પ્લાઝમા થેરાપી નો અસર પણ તેટલો જ છે જેટલો અસર રેમડેસિવિર ઇન્જેક્શન નો છે. આથી પ્લાઝમા થેરાપી ના સ્થાને ઈન્જેકશન નો ઉપયોગ કરવામાં આવશે.
આજથી વગર કારણે બહાર નીકળવાવાળાઓ નું આવી બન્યું : પોલીસ સખત કાર્યવાહી માટે તૈયાર