Site icon

થાણે-દીવા વચ્ચેની પાંચમી-છઠ્ઠી લાઈનનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે લોકાર્પણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર, 

થાણે અને દીવા વચ્ચે પાંચમી અને 6ઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે સેન્ટ્રલ રેલવે તરફથી અનેક મેગાબ્લોક અને જમ્બો મેગાબ્લોક લેવામાં આવ્યા હતા. હવે થાણે અને દિવ્યા વચ્ચે આ બંને લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આજે આ બંને લેનની ઉપનગરીય સેવાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપશે. 

છેલ્લા ઘણા વર્ષોથી સેન્ટ્રલ રેલવે દ્વારા પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ ચાલી રહ્યું છે. છેવટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાણે અને દીવા વચ્ચેની 5મી અને 6ઠ્ઠી લાઇનના કામને લીલીઝંડી બતાવશે. આજે સાંજે લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.

સુપ્રીમ કોર્ટે આ રાજ્યની હાઈકોર્ટનો નિર્ણય કર્યો રદ, ખાનગી ક્ષેત્રે હવે સ્થાનિકોને રોજગાર મળી રહેશે; જાણો વિગતે 

થાણે અને દીવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈનને કારણે કુર્લાથી કલ્યાણ સુધીની લાંબા અંતરની ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે. લોકમાન્ય તિલક ટર્મિનસ (કુર્લા પાસે) થી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો ઉપનગરીય ટ્રાફિકમાં કોઈપણ અવરોધ વિના પાંચમા અને  છઠ્ઠા રૂટ પર કલ્યાણ પહોંચી શકે છે. તેનાથી રેલવેની ફ્રીકવન્સી અને ટ્રેનોના સમયમાં સુધારો થશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કલ્યાણ વચ્ચે 36 વધારાની ઉપનગરીય સેવાઓ શરૂ કરવામાં આવશે, જેમાં 34 એર-કન્ડિશન્ડ અને બે સાદી લોકલ સેવાનો સમાવેશ થાય છે. 

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version