News Continuous Bureau | Mumbai
Coastal Road Tunnel: મુંબઈમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડ માટે રાજ્ય સરકારની હાલ ચારે બાજુથી ટીકા થઈ રહી છે. માત્ર ત્રણ મહિના પહેલા જ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની એક લેન પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી અને માત્ર ત્રણ મહિનામાં જ રોડની ટનલ લીક ( Leakage ) થવા લાગી છે. જેમાં 10 જૂનથી 11 જૂનની વચ્ચે ચોમાસું મુંબઈમાં પ્રવેશ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન મુસાફરો માટે મુંબઈ કોસ્ટલ રોડ કેટલો સુરક્ષિત છે? તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે. લગભગ 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 11 માર્ચ 2024ના રોજ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ દેશનો પ્રથમ અન્ડરસી રોડ છે. અગાઉ મુંબઈકરોને વર્લીથી મરીન ડ્રાઈવ પહોંચવામાં 40 મિનિટનો સમય લાગતો હતો. હવે મુંબઈ કોસ્ટલ રોડના ( Mumbai Coastal Road ) ઉદ્ઘાટન બાદ પ્રવાસીઓ માત્ર 9 થી 10 મિનિટમાં આ સ્થળે પહોંચી રહ્યા છે. પરંતુ ચોમાસાની શરૂઆતના બે અઠવાડિયા પહેલા જ કોસ્ટલ રોડ ટનલ લીક થવા લાગી હતીય જેના કારણે હવે અનેક સવાલો ઉભા થયા છે.
Coastal Road Tunnel: કોસ્ટલ રોડ પ્રોજેક્ટની એક લેનના ઉદ્ઘાટનના ત્રણ મહિના કરતાં પણ ઓછા સમયમાં બ્રિજ પર લીકેજ શરૂ થઈ ગયા છે…
કોસ્ટલ રોડ પ્રોજેક્ટની ( Coastal Road Project ) એક લેનના ઉદ્ઘાટનના ત્રણ મહિના કરતાં પણ ઓછા સમયમાં બ્રિજ પર લીકેજ શરૂ થઈ ગયા છે. લીકેજને ( Tunnel Leakage ) કારણે દિવાલો પર કાળા ડાઘ પડી ગયા છે. લીક રવિવારે (26 મે, 2024) સવારે શરૂ થયું હોવાનું કહેવાય છે. ટનલ લીક થવાના ચોક્કસ કારણો શું છે? તેની પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ મામલામાં હાલ તપાસ ચાલી રહી છે.
આગામી થોડા દિવસોમાં મુંબઈમાં ચોમાસુ પ્રવેશવાની આગાહી કરવામાં આવી છે. આથી, મુખ્યમંત્રી એકનાથ શિંદેને ( Eknath shinde ) કોસ્ટલ રોડ ટનલમાં લીકેજની જાણ થતાં જ તેમણે સ્થળની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે શ્રેષ્ઠ ટેક્નોલોજીની મદદથી ટનલના લીકેજનું કામ પૂર્ણ કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન અહીં પાણી જોવા નહીં મળે.
આ સમાચાર પણ વાંચો: Reliance Jio IPO: તમારા પૈસા તૈયાર રાખો, બજાર કબજે કરવા માટે મુકેશ અંબાણીની આ કંપનીનોૉ સૌથી મોટો IPO આવી રહ્યો છે!
Coastal Road Tunnel: લીકેજ કયાં ક્યાં થઈ રહ્યું છે તે જાણવા માટે હાલ તપાસ કરવામાં આવશે..
મુખ્યમંત્રી શિંદેએ મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મને કોસ્ટલ રોડ પર લીકેજની માહિતી મળતાં જ મેં તરત જ કમિશનરને ફોન કર્યો હતો. લીકેજ કયાં ક્યાં થઈ રહ્યું છે તે જાણવા માટે હાલ તપાસ કરવામાં આવશે. આ સંદર્ભે હું જાતે પણ અધિકારીઓને મળ્યો છું. જો કે આમાં કોસ્ટલ રોડની મૂળ રચનાને કોઈ ખતરો નથી. તેમજ ચોમાસા દરમિયાન અહીં પાણી લીકેજની સમસ્યા નહીં જોવા મળે.
ઉલ્લેખનીય છે કે, 10 એપ્રિલે હાજી અલી વિસ્તારમાં કોસ્ટલ રોડ ટનલમાં પાણી ઘૂસી ગયું હતું. જેના કારણે મુંબઈ મહાનગરપાલિકાની ઘણી ટીકા થઈ હતી. તો ચોમાસા દરમિયાન દરિયાકાંઠાના રસ્તા પરની મુસાફરી નાગરિકો માટે કેટલી સલામત છે? તેવો હાલ સવાલ ઉઠી રહ્યો છે.
દરમિયાન, હાલમાં 12.19 મીટર વ્યાસની મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાંથી વન-વે ટ્રાફિક ચાલી રહ્યો છે. આ રૂટ 11 માર્ચના રોજ વન-વે ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વાહનો આ રૂટ પરથી પસાર થઈ ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો: Virtual Trading: વર્ચ્યુઅલ ટ્રેડિંગ ગેમિંગ એપ પર હવે સેબીની કડક કાર્યવાહી, આ એપ મૂક્યો પ્રતિબંધ.. જાણો વિગતે..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)