Site icon

મહામારીના કાળમાં શાકભાજીના ભાવ ૩૦-૪૦ ટકા વધ્યા; ગૃહિણીનું બજેટ ખોરવાયું, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના મહામારીના કપરા કાળ વચ્ચે અતિવૃષ્ટિ થતાં હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. વાશીની એપીએમસી બજારમાં શાકભાજીના ભાવમાં ૧૫-૨૦ ટકાનો વધારો નોંધાયો છે, તો બીજી તરફ છૂટક બજારમાં શાકભાજી ૩૦-૪૦ ટકા વધુ ભાવે વેચાઈ રહ્યાં છે.

મુંબઈના દરેક વિસ્તારમાં શાકભાજીના ભાવ જુદાજુદા છે. સાંતાક્રુઝ, દાદર, પરેલ, લાલબાગ, સાકીનાકા અને દક્ષિણ મુંબઈમાં શાકભાજી થોડા અંશે મોંઘાં છે. કુર્લા, ગોવંડી, ગોરેગાંવ અને અન્ય વિસ્તારોમાં દર પ્રમાણમાં ઓછો છે. વાશી એપીએમસી માર્કેટના સંચાલક શંકર પિંગળેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “ચારથી પાંચ દિવસમાં શાકભાજીના ભાવમાં ૧૫-૨૦ ટકાનો વધારો થયો છે. કમોસમી વરસાદ અને ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે  રિટેલ માર્કેટમાં એની મોટી અસર જોવા મળે છે.”

તેમણે ઉમેર્યું હતું કે “જથ્થાબંધ બજારમાંથી પસાર થતી ચીજો ઘણીવાર બગડે છે અથવા બરબાદ થાય છે. એથી તે ૩૦-૪૦ ટકા વધુ દરે વેચાય છે. અગાઉ જે વસ્તુના ભાવ પાંચથી દસ રૂપિયા હતા. હવે એ ૧૦થી ૨૦ રૂપિયા વચ્ચે છે.”

કેવો અજબ કારભાર : દાદરનો એક સ્થાનિક ગુંડો વેપારીઓ અને ફેરિયાઓ પાસેથી હપતા વસૂલ કરીને કરોડપતિ બની ગયો

ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવમાં વધારાના કારણે પણ શાકભાજીના ભાવ વધ્યા છે. લૉકડાઉનને કારણે લોકોના રોજગાર છીનવાયા છે. એવામાં આ ભાવવધારાને કારણે સામાન્ય વર્ગે ભારે હાલાકી અને આર્થિક ભીંસનો સામનો કરવો પડશે.

Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
New Panvel: ન્યુ પનવેલમાં રિડેવલપમેન્ટ મીટિંગમાં લોહિયાળ જંગ: સેક્ટર-૧૪ માં બહારના શખ્સોએ રહીશો પર કર્યો હુમલો, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
Mumbai Hit-and-Run: પરેલની વાડિયા હોસ્પિટલ પાસે કારની ટક્કરે અઢી વર્ષના માસૂમનું મોત, ચાલક ફરાર
Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Exit mobile version