Site icon

મહામારીના કાળમાં શાકભાજીના ભાવ ૩૦-૪૦ ટકા વધ્યા; ગૃહિણીનું બજેટ ખોરવાયું, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના મહામારીના કપરા કાળ વચ્ચે અતિવૃષ્ટિ થતાં હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. વાશીની એપીએમસી બજારમાં શાકભાજીના ભાવમાં ૧૫-૨૦ ટકાનો વધારો નોંધાયો છે, તો બીજી તરફ છૂટક બજારમાં શાકભાજી ૩૦-૪૦ ટકા વધુ ભાવે વેચાઈ રહ્યાં છે.

મુંબઈના દરેક વિસ્તારમાં શાકભાજીના ભાવ જુદાજુદા છે. સાંતાક્રુઝ, દાદર, પરેલ, લાલબાગ, સાકીનાકા અને દક્ષિણ મુંબઈમાં શાકભાજી થોડા અંશે મોંઘાં છે. કુર્લા, ગોવંડી, ગોરેગાંવ અને અન્ય વિસ્તારોમાં દર પ્રમાણમાં ઓછો છે. વાશી એપીએમસી માર્કેટના સંચાલક શંકર પિંગળેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “ચારથી પાંચ દિવસમાં શાકભાજીના ભાવમાં ૧૫-૨૦ ટકાનો વધારો થયો છે. કમોસમી વરસાદ અને ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે  રિટેલ માર્કેટમાં એની મોટી અસર જોવા મળે છે.”

તેમણે ઉમેર્યું હતું કે “જથ્થાબંધ બજારમાંથી પસાર થતી ચીજો ઘણીવાર બગડે છે અથવા બરબાદ થાય છે. એથી તે ૩૦-૪૦ ટકા વધુ દરે વેચાય છે. અગાઉ જે વસ્તુના ભાવ પાંચથી દસ રૂપિયા હતા. હવે એ ૧૦થી ૨૦ રૂપિયા વચ્ચે છે.”

કેવો અજબ કારભાર : દાદરનો એક સ્થાનિક ગુંડો વેપારીઓ અને ફેરિયાઓ પાસેથી હપતા વસૂલ કરીને કરોડપતિ બની ગયો

ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવમાં વધારાના કારણે પણ શાકભાજીના ભાવ વધ્યા છે. લૉકડાઉનને કારણે લોકોના રોજગાર છીનવાયા છે. એવામાં આ ભાવવધારાને કારણે સામાન્ય વર્ગે ભારે હાલાકી અને આર્થિક ભીંસનો સામનો કરવો પડશે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version