Site icon

જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે, રાજ ઠાકરેની મનસેએ શિવસેના ભવન સામે આ કામ કર્યું; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021 
શુક્રવાર

દશેરાનો દિવસ શિવસેના માટે ખૂબ જ મહત્ત્વનો છે. વર્ષોથી તમામ શિવસૈનિકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઊજવી રહ્યા છે. આ વર્ષે પણ શિવસેનાએ આ તહેવારની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરી છે. જોકે શિવસેના માટે, જે હિંદુત્વથી દૂર ચાલી રહી છે, આ તહેવારનું મહત્ત્વ ઘટતું જણાય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શિવસેનાની આ પીડાદાયક નસ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. તેણે મુંબઈમાં શિવસેના ભવનની સામે સમાન બૅનર લગાવીને પાર્ટીને ચીડવવાનું કામ કર્યું છે.
શિવસેના ભવનની સામે હિન્દુત્વની ગર્જના દશેરાની પૂર્વ સંધ્યાએ મનસેએ શિવસેના ભવનની સામે એક બૅનર લગાવ્યું છે, જેમાં મોટા અક્ષરોમાં લખેલું છે, ‛ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ બૅનરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેની તસવીર છે અને મનસે તરફથી દશેરાની શુભેચ્છાઓ છે.

Join Our WhatsApp Community

શું તમે જાણો છો કે દશાનન એટલે કે રાવણને યુદ્ધમાં શ્રીરામચંદ્રજી પહેલાં 4 લોકોએ તેને હરાવી દીધા છે, ચાલો આજે જાણીએ

શિવસેનાને હિન્દુતરફી વિચારધારાના પક્ષ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે હાલમાં મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી સાથે મહા વિકાસ આઘાડી બનાવીને સત્તામાં છે. આ કારણોસર, ભારતીય જનતા પાર્ટી શિવસેનાની ટીકા કરી રહી છે, એના પર હિન્દુત્વના મુદ્દાને ત્યજી દેવાનો આરોપ લગાવ્યો છે. હવે મનસેએ પણ આ મુદ્દે શિવસેના પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version