Site icon News Continuous Bureau | Mumbai

જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે, રાજ ઠાકરેની મનસેએ શિવસેના ભવન સામે આ કામ કર્યું; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021 
શુક્રવાર

દશેરાનો દિવસ શિવસેના માટે ખૂબ જ મહત્ત્વનો છે. વર્ષોથી તમામ શિવસૈનિકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઊજવી રહ્યા છે. આ વર્ષે પણ શિવસેનાએ આ તહેવારની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરી છે. જોકે શિવસેના માટે, જે હિંદુત્વથી દૂર ચાલી રહી છે, આ તહેવારનું મહત્ત્વ ઘટતું જણાય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શિવસેનાની આ પીડાદાયક નસ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. તેણે મુંબઈમાં શિવસેના ભવનની સામે સમાન બૅનર લગાવીને પાર્ટીને ચીડવવાનું કામ કર્યું છે.
શિવસેના ભવનની સામે હિન્દુત્વની ગર્જના દશેરાની પૂર્વ સંધ્યાએ મનસેએ શિવસેના ભવનની સામે એક બૅનર લગાવ્યું છે, જેમાં મોટા અક્ષરોમાં લખેલું છે, ‛ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ બૅનરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેની તસવીર છે અને મનસે તરફથી દશેરાની શુભેચ્છાઓ છે.

Join Our WhatsApp Channel

શું તમે જાણો છો કે દશાનન એટલે કે રાવણને યુદ્ધમાં શ્રીરામચંદ્રજી પહેલાં 4 લોકોએ તેને હરાવી દીધા છે, ચાલો આજે જાણીએ

શિવસેનાને હિન્દુતરફી વિચારધારાના પક્ષ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે હાલમાં મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી સાથે મહા વિકાસ આઘાડી બનાવીને સત્તામાં છે. આ કારણોસર, ભારતીય જનતા પાર્ટી શિવસેનાની ટીકા કરી રહી છે, એના પર હિન્દુત્વના મુદ્દાને ત્યજી દેવાનો આરોપ લગાવ્યો છે. હવે મનસેએ પણ આ મુદ્દે શિવસેના પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે.

Mumbai Rain Water મુસળધાર વરસાદથી મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાં ૮૩ ટકા પાણીનો જથ્થો જમા, જાણો એક ટકા પાણી કેટલા દિવસ ચાલે?
Illegal Foreign Couple Arrested In Mahim માહિમમાંથી ૨૦ વર્ષથી ગેરકાયદે રહેતું વિદેશી દંપતી ઝડપાયું સાયબર તપાસથી ખૂલી પોલ
Gold Smuggling At Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈનો મોટો સપાટો ૨૩.૬૩ કરોડનું સોનું જપ્ત અને ૮ની ધરપકડ
Mumbai Press Club Election મુંબઈ પ્રેસ ક્લબની ચૂંટણીમાં ‘સેવ ધ પ્રેસ ક્લબ એલાયન્સ’નો ભવ્ય વિજય; સુરેન્દ્ર પી. ગંગાન પ્રમુખ તરીકે ચૂંટાયા
Exit mobile version