Site icon News Continuous Bureau | Mumbai

Biporjoy Cyclone : મુંબઇવાસીઓ માટે રાહતના સમાચાર….મુંબઇ પર સંભવિત વાવાઝોડાનો ખતરો નહીં.. જાણો IMDની નવી આગાહી..

બિપોરજોય વાવાઝોડું ગંભીરથી અત્યંત તીવ્રમાં બદલાઈ રહ્યું છે. તે 15 જૂન સુધીમાં ભારતના દરિયાકાંઠેથી પસાર થવાની ધારણા છે. IMD સતત આના પર નજર રાખી રહ્યું છે.

Relief news for Mumbaikars...No threat of possible storm over Mumbai..

Biporjoy Cyclone : મુંબઇવાસીઓ માટે રાહતના સમાચાર....મુંબઇ પર સંભવિત વાવાઝોડાનો ખતરો નહીં.. જાણો IMDની નવી આગાહી..

News Continuous Bureau | Mumbai

ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય હવે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયા બાદ તે ભારતીય તટ તરફ આગળ વધી રહ્યું છે. તે 15 જૂન સુધીમાં પહોંચવાનો અંદાજ હતો, પરંતુ ગુજરાતમાં તેની અસર ત્રણ દિવસ પહેલા જ દેખાવા લાગી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Join Our WhatsApp Channel

IMDએ લખ્યું, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ. 15 જૂનની બપોર સુધીમાં, બિપોરજોય માંડવી (ગુજરાત) અને કરાચી, પાકિસ્તાનમાંથી પસાર થવાની સંભાવના છે.

મુંબઇ પર સંભવિત વાવાઝોડાનો ખતરો નહીં

જોકે મુંબઇવાસીઓ માટે રાહતના સમાચાર છે. મુંબઇ પર સંભવિત વાવાઝોડાનો ખતરો નહીં..મુંબઇ પર વાવાઝોડાની કોઈ અસર નહીં પહોંચે. ચક્રવાત બિપોરજોય હાલમાં મુંબઈથી લગભગ 500-600 કિમી દૂર છે. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે મુંબઈ પર કોઈ સીધી અસર થઈ નથી. ચોમાસા પહેલાનો વરસાદ અને પવનની ઝડપમાં વધારો એ ચક્રવાતની અસરનું પરિણામ છે. હવામાન બુલેટીન માંથી મુંબઈ પોર્ટને હવામાન વિભાગે બહાર કાઢ્યું જ્યારે જખૌનો ઉમેરો કર્યો છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે ચક્રવાત બિપોરજોય 15 જૂને ગુજરાતના જખાઉ બંદર નજીક ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મુંબઈ અને થાણે માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : બુધ દેવ થવા જઈ રહ્યા છે અસ્ત, આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ

ગુજરાતના દરિયાકાંઠેથી લોકોનું સ્થળાંતર શરૂ થયું

ચક્રવાતની ચેતવણીઓ વચ્ચે, ગુજરાતના કચ્છમાં સત્તાવાળાઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા અને તેમને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવાનું શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે છ જહાજો બંદર છોડી ગયા છે અને સોમવારે વધુ 11 જહાજો રવાના થશે. પોર્ટ અધિકારીઓ અને શિપ માલિકોને પણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. 

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version