Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈગરાને ફરી એક વખત લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ આવી જશે? BMCના અધિકારીએ કહી દીધી મોટી વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,4 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

 મંગળવાર. 

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ હજી ગંભીર થવાની શકયતા છે. તેથી ફરી લોકડાઉનનું સંકટ ઊભું થયું છે, તેથી શું સામાન્ય નાગરિકોના લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પણ ફરી પ્રતિબંધ આવી જશે કે એવો સવાલ સામાન્ય મુંબઈગરાને થઈ રહ્યો છે. ત્યારે લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાનો હજી સુધી કોઈ પ્રસ્તાવ આવ્યો ન હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે. તેથી હાલ પૂરતું મુંબઈગરાને રાહત મળી છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનું આગમન થઈ ગયુ હોવાનું કહેવાય છે. અઠવાડિયાની અંદર કેસમાં ઘરખમ વધારો થયો છે. ઓમીક્રોનને કારણે ચિંતા હજી વધી ગઈ છે. તેથી બહુ જલદી ફરી લોકડાઉનનો સામનો કરવો પડે એવી શક્યતા છે. એ વચ્ચે લોકલ ટ્રેનના પ્રવાસ પર ફરી પ્રતિબંધ મુકાઈ જવાની શક્યતા ચર્ચાઈ રહી છે. જોકે  હાલ એવો કોઈ પ્રસ્તાવ ચર્ચા માટે આવ્યો ન હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

શું વાત છે, વરલીની બી.ડી.ડી. ચાલી આજે તૂટવાની શરૂઆત થઈ. પુનર્વિકાસ શરૂ થયો. જાણો વિગત

પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ મુંબઈનો પોઝિટિવિટી રેટ અને કોવિડના દર્દીની સંખ્યા વધી રહી છે. પાલિકા તમામ ઉપાયયોજના અમલમાં મૂકી રહી છે. પાલિકા કોઈ પણ સંકંટનો સામનો કરવા તૈયાર છે. છતાં આવશ્યકતા જણાઈ તો ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલ મુંબઈમાં 90 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જણાયા નથી. ફકત ચારથી પાંચ ટકા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. છતાં પાલિકાએ પૂરતી તૈયારી રાખી છે.

Mumbai Sion Hospital Sickle Attack।મુંબઈમાં માથામાં ખૂંપેલા દાતરડા સાથે યુવક રસ્તા પર ભટકતો દેખાયો; સાયન વિસ્તારમાં મચી ચકચાર
Kharghar Tragedy। ખારઘરમાં બેફામ ડમ્પરની ટક્કરે ૨૮ વર્ષીય યુવા વકીલનું કરૂણ મોત; રોષે ભરાયેલા લોકોના ચક્કાજામથી ટ્રાફિક ખોરવાયો
Navi Mumbai Cable Theft Scam 200 Crore। નવી મુંબઈમાં ૨૦૦ કરોડનું કેબલ ચોરી કૌભાંડ બેનકાબ તુર્ભેના જંગલમાં મધ્યરાત્રિએ પોલીસના દરોડા, ૩૫ની ધરપકડ
Borivali Book Fair Devi Eternity| બોરીવલીમાં પુસ્તક મેળો અને સાહિત્ય ગોષ્ઠિનો સમન્વય બુધવારે યોજાશે “નિબંધના ભાવવિશ્વમાં” કાર્યક્રમ
Exit mobile version