Site icon News Continuous Bureau | Mumbai

RTE Admissions: RTE એડમિશન મામલે બોમ્બે હાઈકોર્ટે કહ્યું, તેઓ વિદ્યાર્થીઓને અવઢવમાં રાખવા માંગતા નથી, 11 જુલાઈથી અરજીની સુનાવણી થશે.

RTE Admissions: હાઈકોર્ટે, 6 મેના રોજ, 9 ફેબ્રુઆરીના સરકારી ઠરાવ પર રોક લગાવી દીધી હતી. જેમાં ખાનગી બિન-અનુદાનિત શાળાઓના 1 કિમીની ત્રિજ્યામાં સરકાર દ્વારા સંચાલિત શાળાઓ ને ​​કાયદા હેઠળ બાળકોને પ્રવેશ આપવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. હાઇકોર્ટે શાળાઓને RTE હેઠળ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ એક્ટ હેઠળ બેઠકો ફાળવવામાં આવી ન હતી.

RTE Admissions Bombay High Court said in the matter of RTE admission, they do not want to keep the students in limbo, to hear Plea from July 11.

RTE Admissions Bombay High Court said in the matter of RTE admission, they do not want to keep the students in limbo, to hear Plea from July 11.

News Continuous Bureau | Mumbai

RTE Admissions: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં સુધારાને પડકારતી અરજીઓમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા જવાબ સોગંદનામું દાખલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરતા, બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે તે બાળકોના ( children ) પ્રવેશને અવઢવમાં રાખી શકે નહીં. 

Join Our WhatsApp Channel

હાઈકોર્ટે ( Bombay High Court ) , 6 મેના રોજ, 9 ફેબ્રુઆરીના સરકારી ઠરાવ પર રોક લગાવી દીધી હતી. જેમાં ખાનગી બિન-અનુદાનિત શાળાઓના ( Private Unaided Schools ) 1 કિમીની ત્રિજ્યામાં સરકાર ( Maharashtra Government ) દ્વારા સંચાલિત શાળાઓ ને ​​કાયદા હેઠળ બાળકોને પ્રવેશ આપવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. હાઇકોર્ટે શાળાઓને RTE ( Right to Education ) હેઠળ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ એક્ટ હેઠળ બેઠકો ફાળવવામાં આવી ન હતી.

RTE Admissions:  હાઈકોર્ટે શાળાઓને આ બેઠકો પર પ્રવેશ મેળવનાર ખાનગી વિદ્યાર્થીઓની વિગતો આપવાનો આદેશ આપ્યો હતો. 

  જો કે, આ મુદ્દો ઉભો થયો કારણ કે ખાનગી બિન-અનુદાનિત શાળાઓએ દખલગીરી કરીને કહ્યું કે તેઓએ પહેલાથી જ તે બેઠકો પર અન્ય બાળકોને પ્રવેશ આપ્યો છે. જે  RTE ક્વોટા માટે ખાલી રાખવામાં આવી હતી. શાળાઓએ વધુમાં કહ્યું હતું કે, તેઓએ ફેબ્રુઆરી/માર્ચમાં જ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી.

ત્યારબાદ હાઈકોર્ટે શાળાઓને આ બેઠકો પર પ્રવેશ મેળવનાર ખાનગી વિદ્યાર્થીઓની વિગતો આપવાનો આદેશ આપ્યો હતો. જેમાં મંગળવારે, એસોસિયેશન ઑફ અનએઇડેડ સ્કૂલ્સ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં 139 શાળાઓના સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ 9 ફેબ્રુઆરીના GR પરનો સ્ટે હટાવે કારણ કે તેઓ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે.

આ સમાચાર  પણ વાંચો : Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું મોત, માથા ઉપર ગોળી વાગી.. પોલીસે થઈ દોડતી..

 RTE Admissions:  હવે હાઈકોર્ટે આ મામલાની સુનાવણી 11 જુલાઈના રોજ રાખી છે….

એડિશનલ સરકારી વકીલે કોર્ટને આ માહિતી આપી હતી કે, શાળાઓએ તેમને વિગતો પૂરી પાડી નથી, તેથી તેઓ તેમના જવાબો એફિડેવિટ દ્વારા દાખલ કરી શક્યા નથી. 5 મેના રોજ, તમામ શાળાઓને વિગતો પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમ છતાં અત્યાર સુધી કોઈ વિગતો પુરી પાડવામાં આવી નથી. 

જો કે, કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સરકાર ઓછામાં ઓછા સુધારાને પડકારવાના મુખ્ય મુદ્દા સાથે એફિડેવિટ દાખલ કરવી જોઈએ. તેથી સરકારે સુધારાની માન્યતા વિશે એફિડેવિટ ફાઇલ કરવી પડશે. ડેટા સાથે કામ કરવું એ બીજી સમસ્યા છે. ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે જણાવ્યું હતું કે, અમે RTE હેઠળના આ વિદ્યાર્થીઓનું એડમિશન લંબાવી શક્યે નહીં.

આ દરમિયાન, એક અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટે ખંડપીઠને માહિતી આપી હતી કે સ્ટે ઓર્ડરને કારણે અનુદાનિત શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા પણ અટકી પડી છે. અન્ય અરજીકર્તા તરફથી બીજા વકીલે કહ્યું હતું કે, મોટાભાગની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે. પરંતું કોર્ટના સ્ટેને કારણે RTEના વિદ્યાર્થીઓ હાલ અવઢવમાં કે છે તેમને તેમની મનપસંદ શાળાઓમાં એડમિશન મળશે કે નહીં અને જો તેમને એડમિશન નહીં મળે તો અન્ય શાળાઓમાં પણ તેમને એડમિશન નહીં ફાળવવામાં આવે. તેથી હવે હાઈકોર્ટે આ મામલાની સુનાવણી 11 જુલાઈના રોજ રાખી છે. 

Dombivli। ડોંબિવલીમાં 4 મહિનાથી ગુમ કોલેજ વિદ્યાર્થીનું અપહરણ 5 લાખની ખંડણી માંગતા પરિવારમાં ફફડાટ
Sewri।શિવડીમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ પાલિકાની કામગીરી થંભી
Fraud Case। ગુજરાતના પૂર્વ સાંસદના પુત્રની ખોટી ઓળખ આપી વેપારીને લાખોનો ચૂનો લગાવનાર ઠગબાજ ઝડપાયો
Mahim। માહિમમાં મોબાઈલ ચોરીના વહેમમાં મિત્રની જ નિર્મમ હત્યા એક આરોપીની ધરપકડ
Exit mobile version