News Continuous Bureau | Mumbai
મુંબઈના 'ડ્રગ્ઝ ઑન ક્રૂઝ કેસ'માંથી(Drugs on a cruise case) હટાવાયા બાદ પૂર્વ એનસીબી અધિકારી(NCB officer) સમીર વાનખેડેની(Samir Wankhede) બદલી કરી દેવામાં આવી છે.
ઓર્ડર પ્રમાણે સમીર વાનખેડેની ચેન્નાઈમાં(Chennai) ટેક્સપેયર્સ સર્વિસીસ વિભાગના(Department of Taxpayers Services) ડાયરેક્ટર જનરલ(Director General) તરીકે બદલી કરી દેવામાં આવી છે.
અહીં તેઓ એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરશે અને 10 જૂનથી હોદ્દો અખત્યાર કરે એવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેસની સુનાવણી કરી રહેલા NDPS કોર્ટે આયર્ન ખાનને(Aryan Khan )આ કેસમાં ક્લિનચીટ આપી હતી, ત્યારબાદ સમીર વાનખેડે સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા.
આ સમાચાર પણ વાંચો : બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર- હત્યા કેસમાં 45 વર્ષનો આરોપી દોષી – આ તારીખે સંભળાવવામાં આવશે સજા
