Site icon News Continuous Bureau | Mumbai

Samruddhi Mahamarg : સમૃદ્ધિ હાઈવે પર થાણેમાં થયો મોટો અકસ્માત…17 લોકોના મોત.. છથી સાત વધુ લોકો ફસાયા… જાણો સમગ્ર વિગતો અહીં….

Samruddhi Mahamarg : સમૃદ્ધિ હાઈવેના ત્રીજા તબક્કા દરમિયાન થાણેમાં એક મોટો અકસ્માત થયો હતો. બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગર્ડર મશીન તૂટી પડ્યું છે. આમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે.

Samruddhi Mahamarg : A major accident in Thane, 17 people died while the work of prosperity highway is underway; Another six to seven people were trapped

Samruddhi Mahamarg : A major accident in Thane, 17 people died while the work of prosperity highway is underway; Another six to seven people were trapped

  News Continuous Bureau | Mumbai

Samruddhi Mahamarg : થાણે (Thane) નજીક શાહપુર (Shahpur) તાલુકાના સરલામ્બે ખાતે સમૃદ્ધિ હાઈવેના ત્રીજા તબક્કા દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો . બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગર્ડર મશીન તૂટી પડ્યું હતું.. આમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. ચારથી પાંચ લોકો ઘાયલ થયા છે. ગર્ડર મશીન નીચે વધુ છ લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે. દરમિયાન રાજ્યના માર્ગ વિકાસ જાહેર બાંધકામ મંત્રી દાદા ભુસે (Dada Bhuse) ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રથમ પ્રાથમિકતા ગર્ડર મશીન નીચે ફસાયેલા કામદારોને બહાર કાઢવાની છે. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવશે. દાદા ભુસેએ કહ્યું કે મૃતકોના પરિવારને પણ મદદ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

સમૃદ્ધિ હાઇવે (Samruddhi Highway) ના ત્રીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની ત્યારે સમૃદ્ધિ હાઇવેનું કામ રાત્રે પણ શરૂ હતું. આ ઘટના શાહપુર સરલામ્બેમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગર્ડર મશીનને જોડતી ક્રેન અને સ્લેબ સો ફૂટની ઊંચાઈએથી મજૂરો પર પડ્યો હતો. જેમાં 17 મજૂરોના મોત થયા છે. મૃતદેહોને શાહપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્રણથી ચાર લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પુણે (Pune) ની મુલાકાતે છે . તેમને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. થોડા કલાકો પહેલા જ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.

આ સમાચાર પણ વાંચો : Fardeen Khan : ફરદીન અને નતાશા નું અલગ થવાનું કારણ આવ્યું સામે, અભિનેતાના મિત્ર એ કર્યો ખુલાસો

સમૃદ્ધિ હાઇવેના ત્રીજા તબક્કાનું કામ શરૂ

દરમિયાન, NDRF દ્વારા હાલમાં ડોગ સ્કવોડની મદદથી પુલના કાટમાળ નીચે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. થાણે ટીડીઆરએફ (TDRF) ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમૃદ્ધિ હાઈવેના છેલ્લા અને ત્રીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. આ કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ સો કિલોમીટરનો રોડ છે. ડિસેમ્બર 2022 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડી અને નાગપુર વચ્ચે 520 કિલોમીટર લાંબા સમૃદ્ધિ હાઇવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પછી, પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) અને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) દ્વારા કરવામાં આવ્યું હતું. ઇગતપુરી તાલુકાના નાગપુરથી ભરવીર ગામ સુધીનો કુલ 600 કિમીનો રસ્તો ખુલ્લો મુકાયો છે.

Mumbai Language Dispute। મુંબઈમાં ફરી ભાષાકીય વિવાદ વકર્યો દહિસરમાં ઓટોટેક્સી ડ્રાઈવરો મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ
Thane Crime। થાણેમાં ઘરેલુ વિવાદનો કરુણ અંજામ પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિ ૨૪ કલાકમાં પનવેલથી ઝડપાયો
West Asia Crisis। હોર્મુઝના સંકટનો પનામા નહેરને ફાયદો જહાજ દીઠ ૪૦ લાખ ડોલર સુધી પહોંચ્યો ટ્રાન્ઝિટ ચાર્જ
Mumbai Harassment Case। મુંબઈમાં યુવતીને અશ્લીલ મેસેજ અને ફોન કરી હેરાન કરનાર પૂર્વ સહકર્મીની ધરપકડ
Exit mobile version