Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Raut : સંજય રાઉતે ફરી શિંદે સરકાર પર સાધ્યું નિશાન.. આ તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કરી ટિકા..

Sanjay Raut: મહારાષ્ટ્રમાં વિપક્ષે ફરી સરકાર પર નિશાન સાધ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર ગજાનન માર્ને સાથે પાર્થ પવારની મુલાકાતની ટીકાઓ વચ્ચે હવે કુખ્યાત ગેંગસ્ટર હેમંત દાભેકરની મુખ્યમંત્રીના પુત્ર શ્રીકાંત શિંદે સાથેની મુલાકાતને લઈને હોબાળો મચ્યો છે.

Sanjay Raut again targeted the Eknath Shinde government.. This picture was posted on social media.

Sanjay Raut again targeted the Eknath Shinde government.. This picture was posted on social media.

News Continuous Bureau | Mumbai

Sanjay Raut : ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડ ( Ganapat Gaikwad ) દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ બાદ વિપક્ષી નેતાઓ સરકાર અને ખાસ કરીને બીજેપી નેતા અને રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) પર નિશાન સાધી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન શિવસેના ( UBT ) ના સાંસદ સંજય રાઉતે સોમવારે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ( Eknath Shinde ) પુત્ર સાંસદ શ્રીકાંત શિંદે ( Shrikant Shinde ) અને હત્યા કેસના આરોપી અને હાલમાં જામીન પર જેલમાંથી બહાર આવેલા હેમંત દાભેકર ( Hemant Dabhekar ) તરફથી શુભેચ્છાઓ સ્વીકારતા જોવા મળી રહ્યા હતા.

ઉલ્હાસનગરના ગોળીબાર થયાના ત્રીજા જ દિવસે સંજય રાઉતે આ પોસ્ટ શેર કરી હતી…

મહારાષ્ટ્રના શાસક ભાજપના ધારાસભ્યએ થાણે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં સ્થાનિક શિવસેના ( Shiv Sena ) (શિંદે જૂથ)ના નેતા પર કથિત રીતે ગોળીબાર કર્યાના ત્રણ દિવસ જ થયા છે. ત્યારે રાઉતે આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

એક અહેવાલ અનુસાર, રવિવારના રોજ શ્રીકાંત શિંદેના જન્મદિવસ પર ઘણા લોકો શુભેચ્છા પાઠવવા આવ્યા હતા, જેમાં પુણેના રહેવાસી અને માર્ને ગેંગના મુખ્ય સભ્યોમાંના એક કિશોર માર્નેની હત્યા કેસના આરોપી હેમંત દાભેકરનો સમાવેશ પણ થાય છે. દાભેકર શરદ મોહોલ ગેંગનો સભ્ય હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : Jio Financial Services Vs Paytm Wallet Business: શું ખરેખર મુકેશ અંબાણી Paytm નો વોલેટ બિઝનેસ ખરીદવા જઈ રહ્યું છે? આવ્યું આ મોટું અપડેટ

કલ્યાણ લોકસભાના સભ્ય શ્રીકાંત શિંદેને અભિનંદન આપતા, રાઉતે ‘X’ પર દાભેકરની તસવીર શેર કરી અને પોસ્ટમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પૂણે પોલીસને પણ ટેગ કર્યા હતા.

દાભેકરનું નામ લીધા વિના રાઉતે લખ્યું તેની પોસ્ટમાં લખ્યું હતું કે, “ગૃહમંત્રી દેવેન્દ્રજી, મહારાષ્ટ્રમાં ગુંડાઓનું શાસન છે. શાસક પક્ષના ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કર્યો હતો. ગુંડાઓ આટલા શક્તિશાળી કેમ બન્યા? તેના માટે કોણ જવાબદાર છે?”

શિવસેના (UBT) નેતાએ દાવો કર્યો કે, રાજ્યમાં સરકારના આશીર્વાદથી ગુંડાઓ હવે મુક્ત રીતે બહાર ફરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Mumbai Metro Bridge Fire Bandra મુંબઈમાં મેટ્રો બ્રિજ પર ભીષણ આગ બાંદ્રા રેક્લેમેશન ફ્લાયઓવર પાસે મેટ્રો૨બી ના પિલર પર ફાટી નીકળી જ્વાળાઓ, નીચે સળગતો કાટમાળ પડતાં નાસભાગ
Attacks on TMC Leaders પશ્ચિમ બંગાળમાં TMC નેતાઓ પર હુમલાનો દોર સૌમિત્ર બેનર્જી પર કોર્ટમાં લઈ જતા સમયે ઈંડા ફેંકાયા; સતત સામે આવી રહી છે આવી ઘટનાઓ
Poisonous Pesticide Exposure ગિરગાંવમાં મોટી દુર્ઘટના ચોખાના ડબ્બામાં રાખેલા Poisonous Pesticide Exposure ના કારણે ૨ વર્ષની બાળકી ICU માં
Exit mobile version