Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Raut: ‘મુંબઈની ૪૦% રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે!’: LPG અછત મુદ્દે સંજય રાઉત લાલઘૂમ; સરકારની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

Sanjay Raut: દેવસ્થાનોમાં પણ ગેસની તંગી: કાશીમાં અન્નપૂર્ણા મંદિરનું અન્નક્ષેત્ર બંધ અને શિરડીમાં પ્રસાદના લાડુમાં કાપ, રાઉતે સરકારને ‘ખોટું ન બોલવા’ કરી અપીલ.

Sanjay Raut Slams Government Over LPG Crisis; Claims 40% Mumbai Restaurants Closed and Temple Kitchens Shut Down

Sanjay Raut Slams Government Over LPG Crisis; Claims 40% Mumbai Restaurants Closed and Temple Kitchens Shut Down

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં LPG ગેસની સર્જાયેલી ભારે અછતને લઈને સંજય રાઉતે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારે સ્વીકારવું જોઈએ કે દેશમાં ગેસની અછત છે. તેમણે કટાક્ષ કરતા પૂછ્યું કે, “ગેસ માટે લાગેલી લોકોની લાંબી લાઈનોના ફોટા શું AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવ્યા છે?”રાઉતે મુંબઈની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગેસ ન મળવાને કારણે સામાન્ય જનતા અને નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Join Our WhatsApp Channel

મુંબઈમાં હોટલો અને વડાપાઉંની ગાડીઓ બંધ

સંજય રાઉતે દાવો કર્યો છે કે ગેસની અછતને કારણે મુંબઈમાં અત્યારે ૪૦ ટકા જેટલી રેસ્ટોરન્ટ્સ બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં, મુંબઈની શાન ગણાતી વડાપાઉંની ૫૦ ટકા ગાડીઓ પણ ગેસ ન હોવાને કારણે બંધ છે. શાળાઓમાં મધ્યાહન ભોજન (Mid-day meals) માટે પણ ગેસ મળી રહ્યો નથી. સરકારે પરિસ્થિતિ ચિંતાજનક નથી તેવું કહીને ખોટું બોલવું જોઈએ નહીં.

આ સમાચાર પણ વાંચો : India Puts Trade Deal: ટ્રમ્પને ભારતનો આંચકો! વેપાર કરાર પર સહી કરવાનો ઈનકાર; ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ

કાશી અને શિરડી જેવા દેવસ્થાનોમાં પણ સંકટ

સરકારના ‘હિન્દુત્વ’ પર સવાલ ઉઠાવતા રાઉતે કહ્યું કે, “તમે હિન્દુત્વવાદી છો ને? તો ઓછામાં ઓછું મંદિરોને તો ગેસ આપો.” તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે વડાપ્રધાનના મતવિસ્તાર કાશીમાં આવેલું અન્નપૂર્ણા મંદિર, જ્યાં ૪૦ વર્ષથી ભક્તોને ભોજન કરાવાય છે, તે ગેસની અછતને કારણે બંધ કરવું પડ્યું છે. શિરડીમાં પણ આવી જ સ્થિતિ છે, ત્યાં પહેલા પ્રસાદમાં બે લાડુ આપવામાં આવતા હતા, જે હવે ગેસની તંગીને કારણે ઘટાડીને એક કરી દેવાયા છે.

રાજકીય નિધિ ફાળવણી પર પણ કર્યા પ્રહાર

આ સિવાય સંજય રાઉતે સરકાર પર પક્ષપાતી રીતે વિકાસ નિધિની ફાળવણી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મરાઠવાડા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં વધુ મદદની જરૂર છે, ત્યાં વિરોધ પક્ષના ધારાસભ્યો હોય તો પણ સમાન રીતે ભંડોળ મળવું જોઈએ. લોકસભા અને વિધાનસભાના અધ્યક્ષોએ રાજકીય દૃષ્ટિકોણ છોડીને નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ તેવો આગ્રહ તેમણે રાખ્યો હતો.

 

Amit Thackeray Speech Blank ‘હું ભૂલી ગયો છું…’; ભાષણ બોલતા બોલતા અચાનક બ્લેન્ક થઈ ગયા અમિત ઠાકરે, સ્ટેજ પરથી ચાલતી પકડી; જુઓ
Raj Thackeray Siddhivinayak Temple Donation Theft રાજ ઠાકરેના ગંભીર આક્ષેપ, મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટમાંથી ૧૮ કરોડના દાનની ઉચાપત!
Bombay High Court Dirtiness બોમ્બે હાઇકોર્ટનો સવાલ વિદેશમાં સ્વચ્છતા જાળવતા લોકો ભારતમાં કેમ ફેલાવે છે ગંદકી? નાગરિકોની માનસિકતા પર વ્યક્ત કરી નારાજગી
Auto Accident Borivali બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્ક પાસે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે ઓટો રિક્ષાને ટક્કર મારી મહિલા ચાલક અને મુસાફર ઇજાગ્રસ્ત
Exit mobile version