Site icon

નગરસેવકોને ભંડોળ વહેંચવામાં પણ ભેદભાવઃ મુંબઈ મનપાએ આપ્યું આ કારણ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Community

બુધવાર.

કોર્પોરેશનમાં હંમેશાથી સત્તાધારી પાર્ટી પર પોતાના નગરસેવકોને વધુ ભંડોળ આપવામા આવતું હોવાનો આરોપ થતો આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકામાં પણ સત્તાધારી શિવસેનાએ પોતાના નગરસેવકોને અન્ય પક્ષોના નગરસેવક કરતા ઓછું ભંડોળ આપ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે સત્તાધારી પાર્ટીના નગરસેવક વિજેન્દ્ર શિંદેએ જ પાલિકા પ્રશાસન પાસે ભંડોળની વહેંચણી કઈ રીતે થાય છે અને તેની શું પોલીસી છે તે બાબતે માહીતી માગી હતી. તેના પર પાલિકા પ્રશાસને ચોખવટ કરી છે કે ભૌગોલિક વિસ્તારને આધારે, જે-તે વોર્ડમાં નાગરિકોની સંખ્યા, વોર્ડમાં નગરસેવકની સંખ્યા, સ્થાનિક આવશ્યકતાને ધ્યાનમા રાખીને ભંડોળની વહેંચણી કરવામાં આવતી હોય છે. 

જો તમારે ધાર્મિક યાત્રા પણ કરવી હોય, અને મઝા પણ માણવી હોય તો, ઉત્તરાખંડના આ સ્થળ ની લો મુલાકાત    

અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રશાસન તરફથી નગરસેવકોને તેમના વોર્ડમાં ખર્ચો કરવા માટે ભંડોળ ફાળવવામાં આવે છે. કોને કેટલા નાણા આપવા તેનો નિર્ણય સામાન્ય રીતે મેયર કરતા હોય છે. ત્યારે આ વર્ષે ભાજપે તેમના નગરસેવકોને ઓછું ભંડોળ આપવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. 

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version