Site icon

નગરસેવકોને ભંડોળ વહેંચવામાં પણ ભેદભાવઃ મુંબઈ મનપાએ આપ્યું આ કારણ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Community

બુધવાર.

કોર્પોરેશનમાં હંમેશાથી સત્તાધારી પાર્ટી પર પોતાના નગરસેવકોને વધુ ભંડોળ આપવામા આવતું હોવાનો આરોપ થતો આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકામાં પણ સત્તાધારી શિવસેનાએ પોતાના નગરસેવકોને અન્ય પક્ષોના નગરસેવક કરતા ઓછું ભંડોળ આપ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે સત્તાધારી પાર્ટીના નગરસેવક વિજેન્દ્ર શિંદેએ જ પાલિકા પ્રશાસન પાસે ભંડોળની વહેંચણી કઈ રીતે થાય છે અને તેની શું પોલીસી છે તે બાબતે માહીતી માગી હતી. તેના પર પાલિકા પ્રશાસને ચોખવટ કરી છે કે ભૌગોલિક વિસ્તારને આધારે, જે-તે વોર્ડમાં નાગરિકોની સંખ્યા, વોર્ડમાં નગરસેવકની સંખ્યા, સ્થાનિક આવશ્યકતાને ધ્યાનમા રાખીને ભંડોળની વહેંચણી કરવામાં આવતી હોય છે. 

જો તમારે ધાર્મિક યાત્રા પણ કરવી હોય, અને મઝા પણ માણવી હોય તો, ઉત્તરાખંડના આ સ્થળ ની લો મુલાકાત    

અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રશાસન તરફથી નગરસેવકોને તેમના વોર્ડમાં ખર્ચો કરવા માટે ભંડોળ ફાળવવામાં આવે છે. કોને કેટલા નાણા આપવા તેનો નિર્ણય સામાન્ય રીતે મેયર કરતા હોય છે. ત્યારે આ વર્ષે ભાજપે તેમના નગરસેવકોને ઓછું ભંડોળ આપવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version