Site icon

આઘાતજનક! દહિસરમાં ભરદિવસે એક જ્વેલરની ગોળી મારી હત્યા થઈ, જાણો શું છે સમગ્ર ઘટના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

દહિસરમાં એક આઘાતજનક ઘટના બની હતી. ભરદિવસે અહીં એક જ્વેલરની હત્યા કરવામાં આવી હતી. દહિસર પૂર્વમાં રાવલપાડા વિસ્તારના એક જ્વેલરની દુકાનમાં આ ઘટના બની હતી. સવારે પોણા અગિયાર આસપાસ ત્રણ શખ્સો આવ્યા હતા અને દુકાનદારને ભરદિવસે ગોળી મારી દીધી હતી.

આ ત્રણેય આરોપીઓ ઍક્ટિવા પર આવ્યા હતા. દુકાનદારને ગોળી માર્યા બાદ ત્રણેય આરોપીઓએ દુકાનમાંથી બે મોટી બૅગ ભરી માલ લૂંટ્યો હતો અને લઈને નાસી ગયા હતા. આ ઘટનામાં દુકાનદારનું મોત નીપજ્યું છે. દિન દહાડે બનેલી આ ઘટનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

મુંબઈમાં આજે ફરી એકવાર સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર આ કારણે બંધ રહેશે ; જાણો વિગતે

ઉચ્ચ પોલીસ કમિશનર દિલીપ સાવંત અને ડીસીપી સ્વામીએ ઘટનાની તપાસમાં દરમિયાનગીરી કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપી ઍક્ટિવાથી ભાગી છૂટેલા ત્રણેય વ્યક્તિના ફોટા CCTV કૅમેરામાં કેદ થઈ ગયા છે. આ ઘટના બાદથી આ વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. ફક્ત લૂંટના હેતુથી કે અંગત કારણોસર આ ઘટના બની છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version