Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર 16,000 લિટર ઘીની નીલામી કરશે. મંદિર બંધ થતાં ઉપયોગ ઘટયો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 16,000 લિટર શુદ્ધ ઘીની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ હવે તેનો ઉપયોગ ખાવામાં થઈ શકે તેમ નથી. ગયા માર્ચમાં ૫૦ લાખમાં ખરીદેલા ઘીની હરાજી હવે રાઇડર સાથે કરવામાં આવશે કે તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો બનાવવા માટે ન કરવામાં આવે.

મહારાષ્ટ્ર સરકારના કાયદા અને ન્યાયતંત્ર વિભાગ અંકુશમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટએ તાજેતરમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટ અધ્યક્ષ આદેશ બાંડેકરે જણાવ્યું હતું કે “સામાન્ય સમયમાં અમે લગભગ 35,000 થી 40,000 લાડુ વેચીએ છીએ, જેની કિંમત લાડુ દિઠ 10 રૂપિયા છે. અંગારકી સંકષ્ટિ જેવા વિશેષ પ્રસંગોએ અમે એક લાખ સુધી લાડુ વેચીએ છીએ. આ ઘી અને અન્ય સામગ્રી મુખ્યત્વે લાડુ અને પ્રસાદ થાળી માટે મંગાવવામાં આવ્યું હતું.”

જોખમી વૃક્ષો તોડવા તે મુંબઈ મહાનગરપાલિકાની જવાબદારી છે. પૈસા કેવા અને નોટિસ કઈ વાતની? મુંબઈ જિલ્લા સહકારી ગૃહનિર્માણ મહાસંઘે લાલ આંખ કરી. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ ઘીની એક્સપાયરી ડેટ જતી રહી છે. તેથી હવે આ ઘી ખાવા યોગ્ય નથી. ઘણા સપ્લાયરોએ સ્વેચ્છાએ મંદિરમાં વેચેલો સ્ટોક પાછો લીધો હતો. તેમ છતાં, ઘીની શેલ્ફ લાઇફ ટૂંકી હોવાથી, સપ્લાયર્સ તેને પાછું લેવા માટે ઉત્સુક નહોતા. તેથી હવે આ ઘીને નીલામ કરવાનો પ્રસ્તાવ બહાર પાડયો છે. તેમાંથી ૬૦ થી ૭૦ ટકા રકમ પાછી મળવાની આશા છે.

Mumbai Police EOW Loan Fraud। મુંબઈ EOW ની કોર્પોરેટ જગત પર મોટી કાર્યવાહી જાણીતા ઉદ્યોગ જૂથની કંપનીઓના પૂર્વ ડાયરેક્ટરો સામે ૧૫૦ કરોડની લોન છેતરપિંડીનો કેસ
Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ
Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ
Siddhivinayak Temple Renovation। અદ્ભુત અને અલૌકિક! ભક્તિભાવ સાથે બદલાશે સિદ્ધિવિનાયક મંદિરનું સ્થાપત્ય; મુખ્યમંત્રીએ શેર કરી કાયાકલ્પની ભવ્ય તસવીરો
Exit mobile version