Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર 16,000 લિટર ઘીની નીલામી કરશે. મંદિર બંધ થતાં ઉપયોગ ઘટયો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 16,000 લિટર શુદ્ધ ઘીની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ હવે તેનો ઉપયોગ ખાવામાં થઈ શકે તેમ નથી. ગયા માર્ચમાં ૫૦ લાખમાં ખરીદેલા ઘીની હરાજી હવે રાઇડર સાથે કરવામાં આવશે કે તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો બનાવવા માટે ન કરવામાં આવે.

મહારાષ્ટ્ર સરકારના કાયદા અને ન્યાયતંત્ર વિભાગ અંકુશમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટએ તાજેતરમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટ અધ્યક્ષ આદેશ બાંડેકરે જણાવ્યું હતું કે “સામાન્ય સમયમાં અમે લગભગ 35,000 થી 40,000 લાડુ વેચીએ છીએ, જેની કિંમત લાડુ દિઠ 10 રૂપિયા છે. અંગારકી સંકષ્ટિ જેવા વિશેષ પ્રસંગોએ અમે એક લાખ સુધી લાડુ વેચીએ છીએ. આ ઘી અને અન્ય સામગ્રી મુખ્યત્વે લાડુ અને પ્રસાદ થાળી માટે મંગાવવામાં આવ્યું હતું.”

જોખમી વૃક્ષો તોડવા તે મુંબઈ મહાનગરપાલિકાની જવાબદારી છે. પૈસા કેવા અને નોટિસ કઈ વાતની? મુંબઈ જિલ્લા સહકારી ગૃહનિર્માણ મહાસંઘે લાલ આંખ કરી. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ ઘીની એક્સપાયરી ડેટ જતી રહી છે. તેથી હવે આ ઘી ખાવા યોગ્ય નથી. ઘણા સપ્લાયરોએ સ્વેચ્છાએ મંદિરમાં વેચેલો સ્ટોક પાછો લીધો હતો. તેમ છતાં, ઘીની શેલ્ફ લાઇફ ટૂંકી હોવાથી, સપ્લાયર્સ તેને પાછું લેવા માટે ઉત્સુક નહોતા. તેથી હવે આ ઘીને નીલામ કરવાનો પ્રસ્તાવ બહાર પાડયો છે. તેમાંથી ૬૦ થી ૭૦ ટકા રકમ પાછી મળવાની આશા છે.

Vasai Station Stunt મોતના મુખમાંથી પાછો ફર્યો! વસઈમાં છેલ્લી સેકન્ડે જીવ બચાવી જનાર આ શખ્સ માટે આજે જાણે યમરાજ રજા પર હતા! જુઓ વિડીયો
Western Railway Night Block મુસાફરો માટે ખાસ સૂચના વસઈવૈતરણા વચ્ચે આજે રાત્રે ‘નાઈટ બ્લોક’, ટ્રેન વ્યવહાર પર રહેશે અસર
Chembur Tanker Explosion મુંબઈના ચેમ્બુરમાં કેમિકલ ટાંકીના સમારકામ દરમિયાન ભયાનક સ્ફોટ ટૅન્કરના બે ટુકડા થયા, અકસ્માતમાં ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત અને અન્ય ગંભીર રીતે ઘાયલ
Mumbai Local Mega Block રવિવારે મધ્ય રેલવે રૂટ પર મેગા બ્લોક, જાણો ટ્રેનોનું નવું ટાઈમટેબલ અને લોકલ સેવાઓ પર પડનારી અસરો
Exit mobile version