Site icon

તો વાંદરાઓને કારણે દીપડા માનવ વસ્તીમાં આવે છે; બોરીવલીના નેશનલ પાર્કના અધિકારીએ કરી સ્પષ્ટતા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ૪૦થી વધારે દીપડા છે. તેમને શિકાર કરવામાં અડચણો, અવરોધો અનેક પડકારોનો સામનો કરવો પડતો હોવાથી તે નેશનલ પાર્કની બહાર નીકળી અને ખાવાનું ગોતે છે. દીપડાઓ માનવી વસ્તીમાં આવી રહ્યાનું આ કારણ નેશનલ પાર્કના વન્યપ્રાણી રેસ્ક્યુ ટીમના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. જોકે, ૨૦૧૭થી એવી કોઈ જ ઘટના બની નથી, જેમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો હોય.

લોકો માને છે કે દીપડા માટે જંગલમાં પૂરતો ખોરાક ઉપલબ્ધ ન હોવાથી દીપડાઓ માનવ વસ્તીમાં આવે છે, પરંતુ હકીકતે દીપડા જયારે જંગલમાં શિકાર કરવા નીકળે છે ત્યારે વાંદરાઓ અને પક્ષીઓ અવાજ કરી બીજા પ્રાણીઓને સાવચેત કરી નાખે છે. તેથી દીપડાઓ સહેલાઇથી ખોરાક મેળવવા રાત્રે માનવ વસ્તી વાળા વિસ્તારમાં ભ્રમણ કરતા જોવા મળે છે.

અરે બાપરે!! મહારાષ્ટ્રમાં અધધ આટલા લાખ લોકોએ કોરોના-રસીનો બીજો ડોઝ લીધો જ નથી, બીએમસી શરૂ કરી આ ઝુંબેશ ; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે આ દીપડા અનેક વખત નેશનલ પાર્કની આસપાસના વિસ્તારમાં ફરતા જોવા મળે છે અને ત્યાં ફરતા શ્વાન પર હુમલો કરી તેનો શિકાર કરે છે. રાત્રીના સમયે ભટકતા શ્વાનનો શિકાર કરવા હેતુ આ દીપડા સોસાયટીઓમાં પણ જોવા મળ્યા છે. તેવી માહિતી નેશનલ પાર્કના અધિકારીએ આપી હતી.

Bhandup Railway Station: ભાંડુપ રેલ્વે સ્ટેશન જઈ રહ્યા છો? તો આ નવો નિયમ જાણી લેજો! રિક્ષા એન્ટ્રી બંધ થતા ટ્રાફિક પોલીસની લાલ આંખ, દંડની રકમ જાણી ચોંકી જશો
Mumbai Local Train Update: ૧ માર્ચ ૨૦૨૬થી UTS એપ બંધ થશે, જાણો રેલવેની નવી ટિકિટિંગ સિસ્ટમ અને તેના ફાયદા.
Dahisar Minor Girl Assault Case: દહિસરમાં માનવતા શર્મસાર: ૧૮ મહિનાની માસૂમ બાળકીનું અપહરણ કરી નરાધમ સંબંધીએ આચર્યું દુષ્કર્મ; ૨૪ કલાકમાં આરોપીની ધરપકડ.
Bhandup Murder Shocker: ભાંડુપમાં સામાન્ય બોલાચાલીનું લોહીયાળ પરિણામ: ૨૩ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપી જાલનાથી ઝડપાયો
Exit mobile version