Site icon

શું નવો નિયમ આવશે? જે વેપારી સંસ્થાન રસી લેશે એની દુકાન વધુ સમય ખુલ્લી રહી શકશે, જાણો શું છે સંભાવના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

રસીકરણ અભિયાનને વેગ આપવા મુંબઈ મહાનગરપાલિકા એક નવી યોજના ઘડવાનું વિચારી હતી. જે મુજબ રસી મેળવેલા કર્મચારીઓ હવે પૂર્ણ સમય માટે કાર્ય કરી શકશે. કૉર્પોરેટ, મૉલ્સ અને સરકારી કાર્યાલયોમાં રસી અપાઈ છે કે નહિ એ સુનિશ્ચિત કરવા પાલિકા આ યોજના ઘડી રહી છે.

પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કંપનીના રસી લઈ ચૂકેલા કર્મચારીઓ પૂરો સમય અથવા વધુ સમય સુધી કાર્ય કરવાની પરવાનગી આપતી માર્ગદર્શિકા જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” જોકેહજી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન પાલિકા તરફથી જાહેર કરાયું નથી.

મુંબઈ શહેરમાં કોરોના કાયમ, છેલ્લા 24 કલાકમાં 700થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે ; જાણો કેટલા દર્દીઓના નિપજ્યા મોત 

ઉલ્લેખનીય છે કે રસી લીધા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું રહે છે. અધિકારીએ ઉમેર્યું હતું કે “પાલિકા બીજા તબક્કાના અનલૉકની માર્ગદર્શિકામાં આ નિયમને સમાવી શકે છે.” જો આમ થાય તો કંપની પોતાના કર્મચારીઓ પાસે પહેલાંની માફક કામ કરાવી શકે છે.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version