Site icon News Continuous Bureau | Mumbai

શું નવો નિયમ આવશે? જે વેપારી સંસ્થાન રસી લેશે એની દુકાન વધુ સમય ખુલ્લી રહી શકશે, જાણો શું છે સંભાવના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

રસીકરણ અભિયાનને વેગ આપવા મુંબઈ મહાનગરપાલિકા એક નવી યોજના ઘડવાનું વિચારી હતી. જે મુજબ રસી મેળવેલા કર્મચારીઓ હવે પૂર્ણ સમય માટે કાર્ય કરી શકશે. કૉર્પોરેટ, મૉલ્સ અને સરકારી કાર્યાલયોમાં રસી અપાઈ છે કે નહિ એ સુનિશ્ચિત કરવા પાલિકા આ યોજના ઘડી રહી છે.

પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કંપનીના રસી લઈ ચૂકેલા કર્મચારીઓ પૂરો સમય અથવા વધુ સમય સુધી કાર્ય કરવાની પરવાનગી આપતી માર્ગદર્શિકા જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” જોકેહજી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન પાલિકા તરફથી જાહેર કરાયું નથી.

મુંબઈ શહેરમાં કોરોના કાયમ, છેલ્લા 24 કલાકમાં 700થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે ; જાણો કેટલા દર્દીઓના નિપજ્યા મોત 

ઉલ્લેખનીય છે કે રસી લીધા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું રહે છે. અધિકારીએ ઉમેર્યું હતું કે “પાલિકા બીજા તબક્કાના અનલૉકની માર્ગદર્શિકામાં આ નિયમને સમાવી શકે છે.” જો આમ થાય તો કંપની પોતાના કર્મચારીઓ પાસે પહેલાંની માફક કામ કરાવી શકે છે.

BEST Bus Strike in Mumbai મુંબઈમાં BEST કર્મચારીઓની બેમુદત હડતાળ પ્રશાસને લાગુ કર્યો MESMA કાયદો, હડતાળને ગણાવી ‘ગેરકાયદે’
BEST Bus Strike Impact મુંબઈમાં BEST બસ હડતાળની અસર મેટ્રોમાં મુસાફરોનો ધસારો, લાખો લોકોએ મેટ્રોનો સહારો લીધો
Health Risk of Newsprint Ink સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! મુંબઈમાં છાપામાં વડાપાઉં આપતા વેપારીઓ સામે FDA ની મોટી કાર્યવાહી.
Leopard Attack at IIT Bombay આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં દીપડાનો આતંક સ્ટાફ હોસ્ટેલ પાસે શ્વાન પર કર્યો હુમલો
Exit mobile version