Site icon News Continuous Bureau | Mumbai

શું નવો નિયમ આવશે? જે વેપારી સંસ્થાન રસી લેશે એની દુકાન વધુ સમય ખુલ્લી રહી શકશે, જાણો શું છે સંભાવના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

રસીકરણ અભિયાનને વેગ આપવા મુંબઈ મહાનગરપાલિકા એક નવી યોજના ઘડવાનું વિચારી હતી. જે મુજબ રસી મેળવેલા કર્મચારીઓ હવે પૂર્ણ સમય માટે કાર્ય કરી શકશે. કૉર્પોરેટ, મૉલ્સ અને સરકારી કાર્યાલયોમાં રસી અપાઈ છે કે નહિ એ સુનિશ્ચિત કરવા પાલિકા આ યોજના ઘડી રહી છે.

પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કંપનીના રસી લઈ ચૂકેલા કર્મચારીઓ પૂરો સમય અથવા વધુ સમય સુધી કાર્ય કરવાની પરવાનગી આપતી માર્ગદર્શિકા જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” જોકેહજી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન પાલિકા તરફથી જાહેર કરાયું નથી.

મુંબઈ શહેરમાં કોરોના કાયમ, છેલ્લા 24 કલાકમાં 700થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે ; જાણો કેટલા દર્દીઓના નિપજ્યા મોત 

ઉલ્લેખનીય છે કે રસી લીધા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું રહે છે. અધિકારીએ ઉમેર્યું હતું કે “પાલિકા બીજા તબક્કાના અનલૉકની માર્ગદર્શિકામાં આ નિયમને સમાવી શકે છે.” જો આમ થાય તો કંપની પોતાના કર્મચારીઓ પાસે પહેલાંની માફક કામ કરાવી શકે છે.

Miraculous rescue of toddler વિરારમાં ત્રીજા માળેથી નીચે પછડાયેલા ૧૮ મહિનાના માસૂમ બાળકનો શેડ પર પડવાથી ચમત્કારિક બચાવ
Borivali birthday firing incident બોરિવલીમાં જન્મદિવસની પાર્ટીમાં એર ગન ફાયર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો, આરોપી ઝડપાયો
MCOCA invoked against gang મુંબઈમાં સંગઠિત અપરાધ સામે મોટી કાર્યવાહી, કુખ્યાત ગેંગના ૧૨ સભ્યો સામે ‘મોકા’ અંતર્ગત ગુનો દાખલ
Salon worker suicide case સેલોન કર્મચારીના આપઘાત મામલે છ મહિના બાદ ચાર સહકર્મીઓ સામે ગુનો દાખલ
Exit mobile version