Site icon

SpiceJet emergency: મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટનું ઇમરર્જન્સી લેંડીંગ, વિમાનનું પૈડું ટેકઓફ દરમિયાન નીકળી ગયું હતું

મુંબઈ: કંડલાથી મુંબઈ આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી છે

SpiceJet emergency મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટનું ઇમરર્જન્સી લેંડીંગ

SpiceJet emergency મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટનું ઇમરર્જન્સી લેંડીંગ

News Continuous Bureau | Mumbai

SpiceJet emergency મુંબઈ: કંડલાથી મુંબઈ આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી છે. ટેકઓફ દરમિયાન વિમાનનું પૈડું નીકળી જતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જોકે, વિમાન સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતરી ગયું હતું અને 75 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના શુક્રવારે બપોરે બની હતી.
મળતી માહિતી મુજબ, સ્પાઈસજેટનું બોમ્બાર્ડિયર Q400 વિમાન કંડલાથી 75 મુસાફરો સાથે મુંબઈ આવવા રવાના થયું હતું. ટેકઓફ દરમિયાન જ કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ વિમાનમાંથી એક વસ્તુ નીચે પડતી જોઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તે વિમાનનું પૈડું હતું. તાત્કાલિક આ અંગે પાયલટને જાણ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ બાબતની ગંભીરતા જોતા મુંબઈ એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. એરપોર્ટ પર ફાયર ટેન્ડર અને બચાવ ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. જોકે, પાયલટે વિમાનને કુશળતાપૂર્વક હેન્ડલ કર્યું અને બપોરે 4 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. લેન્ડિંગ બાદ વિમાન જાતે જ ટેક્સીવે થઈને ટર્મિનલ સુધી પહોંચ્યું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Koliwada:મુંબઈના કોળીવાડાઓ વિશે મોટો નિર્ણય; વિસ્તારના વિકાસ માટે મંત્રી આશિષ શેલારે પ્રશાસનને 60 દિવસનું અલ્ટીમેટમ આપ્યો

આ ઘટના બાદ સ્પાઈસજેટના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે, “12 સપ્ટેમ્બરે કંડલાથી મુંબઈની ઉડાન ભરી રહેલા સ્પાઈસજેટ Q400 વિમાનનું બહારનું એક પૈડું ટેકઓફ બાદ રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈ સુધીની મુસાફરી ચાલુ રાખી અને સુરક્ષિત રીતે લેન્ડ થયું. લેન્ડિંગ બાદ વિમાન પોતાના પાવર પર ટર્મિનલ સુધી ગયું અને તમામ મુસાફરો સામાન્ય રીતે ઉતર્યા હતા.”
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું કે, “પૈડું નીકળી જવું એ ગંભીર ઘટના છે, પરંતુ વિમાનની વ્હીલ એસેમ્બલીમાં બે યુનિટ હોવાથી એક પૈડું જોડાયેલું રહ્યું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.” આ ઘટના બાદ વિમાનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ એરપોર્ટ દ્વારા પણ નિવેદન જારી કરીને ફુલ ઈમરજન્સી જાહેર કરાઈ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version