Site icon

રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચો આ સમાચાર- રેલવેએ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક

 News Continuous Bureau | Mumbai 

રવિવારે બહાર પ્રવાસ કરવાનો વિચાર હોય તેમની માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવેમાં(Mumbai Suburban Railway) રવિવારે સેન્ટ્રલ(Central line) અને હાર્બર લાઈન(Harbor Line) પાંચ કલાકનો મેગા બ્લોક(Mega block) રહેશે. તેમ જ રવિવાર હોવાથી લોકલ સર્વિસ(Local service) પણ ઓછી દોડાવવામાં આવશે, તેથી પ્રવાસીઓને હાલાકી થઈ શકે છે.

Join Our WhatsApp Community

રવિવારે સેન્ટ્રલ રેલવેના(Central Railway), મુંબઈ ડિવિઝનમાં મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ઉપનગરીય વિભાગોમાં વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો કરવામાં આવશે. તેથી માટુંગા – મુલુંડ(Matunga – Mulund) અપ અને ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારે 11.05 થી બપોરે 03.55 સુધી કામ કરવા આવવાનું છે. તેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિન(Chhatrapati Shivaji Maharaj Terminus) મુંબઈથી ઉપડનારી ટ્રેનો માટુંગા અને મુલુંડ વચ્ચે  સવારે 10.25 થી બપોરે 3.36 વાગ્યા સુધી સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. તેમ જ તમામ ટ્રેનો નિર્ધારિત સમય કરતા પંદર મિનિટ મોડી હશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોરોનાના કેસ શેરબજારના આંકડાની જેમ- આજે ફરી નવા દર્દીની સંખ્યામાં થયો વધારો- જાણો આજની કોરોના પરિસ્થિતિ

હાર્બર લાઈનમાં પનવેલ-વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે અપ અને ડાઉન હાર્બર રૂટ પર મેગા બ્લોક હોવાથી ટ્રેન સેવા બંધ રહેશે. જેમાં સવારે 10.33 થી સાંજે 4.05 વાગ્યા સુધી પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે હાર્બર લાઈન પર અપ લાઈનની ટ્રેન સેવા બંધ રહેશે તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ,મુંબઈથી પનવેલ,બેલાપુર વચ્ચે સવારના 9.45 વાગ્યાથી 3.12 દરમિયાન ડાઉન લાઈન બંધ રહેશે.

પનવેલથી થાણે સુધીના અપ ટ્રાન્સહાર્બર રૂટ પરની સેવાઓ સવારે 11.02 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધી અને થાણેથી પનવેલ સુધીના ડાઉન ટ્રાન્સહાર્બર રૂટ પર પણ સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી બંધ રહેશે.

બ્લોક સમયગાળા દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-વાશી વિસ્તાર પર વિશેષ લોકલ દોડશે. થાણે-વાશી/નેરુલ વચ્ચેના ટ્રાન્સહાર્બર રૂટ પર ઉપનગરીય સેવાઓ બ્લોક સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.બેલાપુર/નેરુલ-ખારકોપર વચ્ચેની ઉપનગરીય સેવાઓ બ્લોક સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.
 

Mira-Bhayandar Permit Scam:મીરા-ભાયંદર ઈ-રિક્ષા પરમિટમાં મોટું કૌભાંડ? બોગસ દસ્તાવેજોના આધારે રોહિંગ્યાઓને પરમિટ અપાયાનો પૂર્વ ધારાસભ્યનો સનસનાટીભર્યો દાવો
Andheri Robbery Case:ખાખી વર્દીમાં લૂંટારો: અંધેરીમાં ₹25 લાખની લૂંટ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા, તમામ રકમ રિકવર
Dindoshi Clash:દિન્ડોશીના સંતોષ નગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો: પોલીસના બળપ્રયોગમાં એક છોકરો ગંભીર ઈજાગ્રસ્ત
Mumbai Crime: ચર્ચગેટના ટાટા ગાર્ડનમાં લોહિયાળ ખેલ: ૫૫ વર્ષીય પ્રોઢની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા, હુમલાખોર ફરાર
Exit mobile version