Site icon News Continuous Bureau | Mumbai

Tahawwur Rana news : મુંબઈ હુમલાના દોષિત તહવ્વુરને આજે લવાશે ભારત, દિલ્હી કે મુંબઈ ક્યાં રાખવામાં આવશે? સસ્પેન્સ યથાવત…

Tahawwur Rana news : 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને લઈને એક ખાસ વિમાન અમેરિકાથી રવાના થઈ ગયું છે અને ગુરુવારે બપોર સુધીમાં તે ભારત પહોંચવાની અપેક્ષા છે. યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધા પછી, તેને ભારત લાવવા માટે પગલાં લેવામાં આવ્યા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ત્રણ અધિકારીઓ તાત્કાલિક યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચી ગયા.

Tahawwur Rana news Flight carrying Tahawwur Rana to land in Delhi soon; 2611 accused likely to be lodged in Tihar

Tahawwur Rana news Flight carrying Tahawwur Rana to land in Delhi soon; 2611 accused likely to be lodged in Tihar

News Continuous Bureau | Mumbai

Tahawwur Rana news : 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને લઈને NIA ટીમ આજે દિલ્હી આવી રહી છે. યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની પ્રત્યાર્પણ અરજી ફગાવી દીધા પછી, NIA અને વરિષ્ઠ વકીલોની એક ખાસ ટીમ રાણાની કસ્ટડી લેવા માટે યુએસ પહોંચી હતી. રાણાના ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

Tahawwur Rana news : દિલ્હી પહોંચ્યા પછી શું થશે?

મીડિયા રિપોર્ટ મુજબ NIA ટીમ તહવ્વુર રાણા સાથે આજે બપોરે દિલ્હી પહોંચશે. તહવ્વુર રાણા માટે મુંબઈ અને દિલ્હીમાં બે સેલ તૈયાર કરવામાં આવ્યા છે. તહવ્વુર રાણાની પ્રાથમિક પૂછપરછ દિલ્હી સ્થિત NIA મુખ્યાલયમાં થવાની શક્યતા છે.  ત્યારબાદ મુંબઈમાં તેના પર કેસ ચલાવવામાં આવશે. રાણાને મુંબઈની આર્થર રોડ જેલમાં અજમલ કસાબની જેમ જ સેલમાં રાખવામાં આવી શકે છે. ઉપરાંત, મુંબઈ પોલીસ પણ તેની કસ્ટડી લઈ શકે છે. ભારત પાસે તહવ્વુર રાણા પર ભારતમાં કેસ ચલાવીને પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ફરી એકવાર ખુલ્લા પાડવાની તક છે.

Tahawwur Rana news : સદાનંદ દાતે તપાસની જવાબદારી  

તહવ્વુર રાણાને ભારત લાવવા માટે સાત સભ્યોની NIA સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. તેમની વચ્ચે કેટલાક વરિષ્ઠ વકીલો પણ છે. ટીમનું નેતૃત્વ એડીજી રેન્કના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવ્યું છે. NIA વડા સદાનંદ દાતેને રાણાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં તેમના પ્રત્યાર્પણનો પણ સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, 26/11 ના હુમલા દરમિયાન સદાનંદ દાતે પોતે આતંકવાદીઓ સામે લડ્યા હતા. સદાનંદ દાતે, તેમની નાની ટીમ સાથે, કામા હોસ્પિટલ પરના હુમલાનો સામનો કર્યો. હુમલામાં ઘાયલ થયેલા સદાનંદ દાતે તે સમયે ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Tahawwur Rana Extradition : આજે ભારત લવાશે 26/11 નો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા, દિલ્હીમાં પૂછપરછ, મુંબઈમાં ચલાવવામાં આવશે કેસ… NIA આ રીતે કસશે સકંજો

Tahawwur Rana news : કોણ છે તહવ્વુર રાણા?

1961માં પાકિસ્તાનમાં જન્મેલા તહવ્વુર રાણાએ શરૂઆતમાં પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે સેવા આપી હતી અને પછી 1990ના દાયકાના અંતમાં કેનેડા ગયો હતો. કેનેડિયન નાગરિકતા મેળવ્યા પછી, તે શિકાગોમાં સ્થાયી થયો, જ્યાં તે ઇમિગ્રેશન કન્સલ્ટન્સી સહિત વિવિધ વ્યવસાયો ચલાવતો હતો. 2009 માં, રાણાની 2008 ના મુંબઈ હુમલામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા. તે જિલેન્ડ્સ-પોસ્ટેન પરના હુમલાના પ્રયાસ સાથે પણ જોડાયેલો હતો, જેણે પયગંબર મુહમ્મદના વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત કર્યા હતા. રાણા પર અમેરિકન નાગરિકોની હત્યામાં મદદ કરવા અને પ્રોત્સાહન આપવા સહિત 12 ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
IndiaIran Shipping Normalization શાંતિ કરારનું સકારાત્મક પરિણામ : ભારતીય આર્થિક સપ્લાય ચેઈન હવે બનશે વધુ સુરક્ષિત અને ઝડપી
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Exit mobile version