Site icon News Continuous Bureau | Mumbai

Snake in Vande Bharat: વંદે ભારતમાં સાપ! મુસાફરોમાં મચ્યો હાહાકાર, શૌચાલયમાં સાપ છોડી ભાગી જનાર યુવક જેલ ભેગો.

મુસાફરોમાં ડર પેદા કરવા માટે કર્યું શરમજનક કૃત્ય; સોલાપુર પહોંચ્યા બાદ સર્પમિત્રની મદદથી સાપને બહાર કાઢવામાં આવ્યો.

Snake in Vande Bharat વંદે ભારતમાં સાપ! મુસાફરોમાં મચ્યો હાહાકાર, શૌચાલયમાં સાપ છોડી

Snake in Vande Bharat વંદે ભારતમાં સાપ! મુસાફરોમાં મચ્યો હાહાકાર, શૌચાલયમાં સાપ છોડી

News Continuous Bureau | Mumbai
Snake in Vande Bharat ઝડપી અને સુરક્ષિત મુસાફરી માટે જાણીતી વંદે ભારત એક્સપ્રેસમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસના શૌચાલયમાં એક અઢી ફૂટ લાંબો સાપ જોવા મળ્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF) ની તપાસમાં ખુલાસો થયો છે કે, આ સાપ કુદરતી રીતે ટ્રેનમાં નહોતો આવ્યો, પરંતુ મુસાફરોમાં ભય ફેલાવવા માટે એક માથાફરેલા યુવકે તેને જાણીજોઈને છોડ્યો હતો. સી-16 (C-16) કોચના શૌચાલયમાં સાપ હોવાની ફરિયાદ મુસાફરોએ કરી હતી. રેલવે અધિકારીઓએ તરત જ શૌચાલય બંધ કરી દીધું હતું. સીસીટીવી ફૂટેજની તપાસમાં આરોપી થાણે સ્ટેશન પર સાપ સાથે ટ્રેનમાં પ્રવેશતો અને તેને છોડતો સ્પષ્ટપણે દેખાયો હતો.

સાપને પકડવા માટે સોલાપુર સુધી કરવી પડી રાહ

કર્જત સ્ટેશને મુસાફરોએ સાપ જોયા બાદ શૌચાલયની તપાસ કરવામાં આવી હતી, પરંતુ સાપ મળ્યો નહોતો. ત્યારબાદ પુણે સ્ટેશને પણ તપાસ થઈ હતી છતાં સફળતા મળી નહોતી. અંતે જ્યારે ટ્રેન સોલાપુર પહોંચી, ત્યારે સર્પમિત્રની મદદ લેવામાં આવી હતી અને અઢી ફૂટ લાંબા ધામણ પ્રજાતિના સાપને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. મધ્ય રેલ્વેના સીપીઆરઓ એ પુષ્ટિ કરી છે કે આ સાપ બિનઝેરી હતો.

Join Our WhatsApp Channel

આરોપીની કબૂલાત અને કોર્ટે ફટકારેલી જેલ

રેલવે પોલીસે સીસીટીવી અને બાતમીદારોની મદદથી નાસિકના રહેવાસી આરોપી જગન ભોલેને મુંબ્રાથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે મુસાફરોમાં અફરાતફરી અને ભયનું વાતાવરણ ઉભું કરવા માટે તેણે આ કૃત્ય કર્યું હતું. રેલવે એક્ટની કલમ 145(B), 147 અને 153 હેઠળ ગુનો નોંધી તેને કલ્યાણની રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર

દેશની નવમી વંદે ભારત અને તેની લોકપ્રિયતા

મુંબઈ-સોલાપુરવંદે ભારત એક્સપ્રેસ દેશની નવમી વંદે ભારત ટ્રેન છે, જેનું ઉદ્ઘાટન 2023માં પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટ્રેન 455 કિમીનું અંતર માત્ર 6 કલાક 30 મિનિટમાં કાપે છે, જે અન્ય સુપરફાસ્ટ ટ્રેનો કરતા દોઢ કલાક ઓછો સમય છે. જાન્યુઆરી 2026 સુધીમાં આ ટ્રેનમાં મુસાફરોનો પ્રતિસાદ 100% થી વધુ રહ્યો છે અને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ લોકોએ તેમાં મુસાફરી કરી છે.

Mumbai Floods કેમ દર વર્ષે ચોમાસામાં ડૂબે છે માયાનગરી મુંબઈ? કરોડોના ખર્ચ પછી પણ હાલ ‘બેહાલ’; જાણો કડવી વાસ્તવિકતા
Open Manholes in Ghatkopar સાકીનાકા જેવી હોનારતની રાહ? ઘાટકોપરમાં પાલિકાએ ખુલ્લા મેનહોલ પર માત્ર લાકડી બાંધી, મુંબઈગરા રામ ભરોસે?!
Missing Link Potholes Missing Link Potholes મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર ખડ્ડા પડતા વિવાદ; દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘આ તો માત્ર ટેસ્ટિંગ છે!’
Under Construction Site Collapse in Bhandup મુંબઈમાં વરસાદનો કહેર ભાંડુપમાં અંડરકન્સ્ટ્રક્શન સાઈટ પર માળખું ધરાશાયી, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
Exit mobile version