Murjibhai Patel : લોક-લાગણીને સન્માન આપનાર મહારાષ્ટ્ર સરકારનો આભાર: શ્રી મૂરજીભાઈ પટેલ

Murjibhai Patel : ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમો! હવે રાત્રે 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે

News Continuous Bureau | Mumbai 

Murjibhai Patel : ‘કુમ કુમનાં પગલાં પડ્યાં, માડીનાં હેત ઢળ્યાં…’ એક નહીં, બે નહીં, પણ છેલ્લા ત્રણે દિવસ મધરાત સુધી ગરબા રમવાની પરવાનગી મળતાં ગરબા(Garba) આયોજકો, ગરબા રસિકો અને ખેલૈયાઓ ખુશખુશાલ થઈ ગયા છે. નવરાત્રિ(Navratri) દરમિયાન ખેલૈયાઓનો જોમ અને ઉત્સાહ અકબંધ રાખવા માટે મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) દ્વારા નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ રાત્રે 12 વાગ્યા સુધી ગરબા અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી(permission) આપવામાં આવી છે. શનિવાર, રવિવાર ને સોમવારે મધરાત 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન કરવા મળશે.

Join Our WhatsApp Community

Thanks to the Government of Maharashtra for respecting public sentiment: Mr. Murjibhai Patel

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની સરાહના કરતાં અંધેરી-પૂર્વની ‘છોગાળા રે'(Chogada Re) નવરાત્રિના આયોજક અને લોકસેવક મૂરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “મોજુદા સરકાર લોકોની લાગણીની તરફેણમાં કામ કરી રહી છે. સરકારના આ નિર્ણયથી સમસ્ત ગરબા પ્રેમીઓ અને ગરબા આયોજકો ખુશ છે. જ્યારથી મહારાષ્ટ્રમાં નવી સરકાર આવી છે, ત્યારથી લોકહિત ના નિર્ણયો લેવાઈ રહ્યા છે. ખરું કહીએ તો કોરોનાને કારણે જે ધાર્મિક કાર્યક્રમો પર બંદીશ લાગી હતી તેની બેડીઓ તૂટી ગઈ છે.”

આ વર્ષે પ્રથમવાર રજૂ કરાયેલી ‘છોગાળા રે’ નવરાત્રિનો ક્રેઝ લોકોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. આશરે 10 હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને દરરોજ અહીં ગરબે ઘૂમે છે. કચ્છી કોયલ ગીતા રબારીએ પોતાની અનોખી શૈલીમાં ગરબાની જોરદાર રમઝટ બોલાવે છે ને તેમના તાલે ગરબા રસિકો મન મૂકીને નાચે છે. પારંપરિક ગરબા સાંભળવા માટે પણ અહીં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે.

આ સમાચાર પણ વાંચો : Partial Lunar Eclipse : 28-29,2023 ઓક્ટોબરના રોજ ચંદ્રનું આંશિક ચંદ્રગ્રહણ

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version