Site icon

મોટા સમાચાર : તો શું હવે 1 જૂન પછી પણ લોકડાઉન ચાલુ રહેશે; જાણો શું કહ્યું આદિત્ય ઠાકરેએ

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ શહેરમાં લોકડાઉન ચાલુ રહેશે કે નહીં એ સંદર્ભે વેપારીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર આદિત્ય ઠાકરેએ આ વિષય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. સીએનબીસી એશિયા ટેલિવિઝન ચૅનલને ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે પહેલી જૂન પછી લોકડાઉનને ચાલુ રાખવું કે નહીં એ કેટલા કેસ નોંધાઈ રહ્યા છે એના ઉપર આધારિત છે.

પોતાના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે સરકારને લોકડાઉન લાવવું પડ્યું છે, કારણ કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો પહેલી જૂન સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા છે ત્યાં પણ પ્રતિબંધોની આવશ્યકતા છે, જેથી પરિસ્થિતિ હાથબહાર ન નીકળી જાય.

આમ આદિત્ય ઠાકરેએ જે નિવેદન આપ્યું છે એનાથી ચેતવા જેવું છે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version