Site icon

મોટા સમાચાર : તો શું હવે 1 જૂન પછી પણ લોકડાઉન ચાલુ રહેશે; જાણો શું કહ્યું આદિત્ય ઠાકરેએ

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ શહેરમાં લોકડાઉન ચાલુ રહેશે કે નહીં એ સંદર્ભે વેપારીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર આદિત્ય ઠાકરેએ આ વિષય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. સીએનબીસી એશિયા ટેલિવિઝન ચૅનલને ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે પહેલી જૂન પછી લોકડાઉનને ચાલુ રાખવું કે નહીં એ કેટલા કેસ નોંધાઈ રહ્યા છે એના ઉપર આધારિત છે.

પોતાના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે સરકારને લોકડાઉન લાવવું પડ્યું છે, કારણ કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો પહેલી જૂન સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા છે ત્યાં પણ પ્રતિબંધોની આવશ્યકતા છે, જેથી પરિસ્થિતિ હાથબહાર ન નીકળી જાય.

આમ આદિત્ય ઠાકરેએ જે નિવેદન આપ્યું છે એનાથી ચેતવા જેવું છે.

Mumbai Jeweller Fraud: મુંબઈમાં હાઈ-પ્રોફાઈલ છેતરપિંડી: કર્ણાટકના મંત્રીને દાગીના બતાવવાના બહાને જ્વેલર પાસેથી ₹૧૧ લાખના ઘરેણાં પડાવી આરોપી ફરાર
Mumbai Cyber Cell : મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડનો પર્દાફાશ: મની લોન્ડરિંગના નામે વૃદ્ધ પાસેથી ₹૧૦ લાખ પડાવનાર બે ઠગ ઝડપાયા, ૧૪ રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક
India’s first musical road : મુંબઈ કોસ્ટલ રોડ પર ગુંજશે ‘જય હો’: ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ‘મ્યુઝિકલ રોડ’ તૈયાર, જાણો કેવી રીતે વાગશે સંગીત
Ajit Pawar Plane Crash Case: રોહિત પવારના ગંભીર આક્ષેપો, અજિત પવારના હેલિકોપ્ટર અકસ્માત પાછળ કાવતરાની આશંકા વ્યક્ત કરી
Exit mobile version