Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : તો શું હવે 1 જૂન પછી પણ લોકડાઉન ચાલુ રહેશે; જાણો શું કહ્યું આદિત્ય ઠાકરેએ

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈ શહેરમાં લોકડાઉન ચાલુ રહેશે કે નહીં એ સંદર્ભે વેપારીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર આદિત્ય ઠાકરેએ આ વિષય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. સીએનબીસી એશિયા ટેલિવિઝન ચૅનલને ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે પહેલી જૂન પછી લોકડાઉનને ચાલુ રાખવું કે નહીં એ કેટલા કેસ નોંધાઈ રહ્યા છે એના ઉપર આધારિત છે.

પોતાના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે સરકારને લોકડાઉન લાવવું પડ્યું છે, કારણ કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો પહેલી જૂન સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા છે ત્યાં પણ પ્રતિબંધોની આવશ્યકતા છે, જેથી પરિસ્થિતિ હાથબહાર ન નીકળી જાય.

આમ આદિત્ય ઠાકરેએ જે નિવેદન આપ્યું છે એનાથી ચેતવા જેવું છે.

AntiDrugs Awareness Campaign મુંબઈના નોર્થ ઝોન૩ માં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન ૨૩ શાળાઓના ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
Bandra Gang MCOCA Arrests બાંદ્રામાં આતંક મચાવનાર કુખ્યાત ગેંગ સામે મકોકા હેઠળ ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ
Navi Mumbai Road Rage નવી મુંબઈના પામ બીચ રોડ પર ઓલા ડ્રાઇવર પર હુમલો કરી કારના બોનેટ પર ૨ કિલોમીટર સુધી ઘસડ્યો
Mumbai Digital Arrest Cyber Fraud મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે નિવૃત્ત અધિકારી સાથે ૫૧ લાખની સાયબર ઠગાઈ એકની ધરપકડ
Exit mobile version