Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈના ખાર સબવેથી આ વિસ્તારને જોડતા પુલનું ટૂંક સમયમાં શરુ થશે બાંધકામ.. હવે મળશે ટ્રાફિકથી રાહત.

Mumbai: પશ્ચિમી ઉપનગરોમાં ખાર સબવે સ્ટેશન પર ટ્રાફિક ઓછી કરવા માટે અને બાંદ્રા સ્ટેશનથી ટર્મિનસ સુધી પહોંચવામાં લોકોને થતી સમસ્યાઓને ઘ્યાનમાં લઈને મહાપાલિકાએ બંને સ્થળોએ બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.

The construction of the bridge connecting this area with Mumbai's Khar subway will start soon.. Now you will get relief from traffic.

The construction of the bridge connecting this area with Mumbai's Khar subway will start soon.. Now you will get relief from traffic.

News Continuous Bureau | Mumbai  

Mumbai: ખાર સબવે પર ટ્રાફિકથી થતી ભીડ ઓછી કરવા અને બાંદ્રા રેલ્વે સ્ટેશનથી રેલ્વે ટર્મિનસ સુધી પહોંચવામાં આવતા અવરોધો પાર કરવામાં લોકોને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિએ ( BMC ) આ બંને સ્થળોએ પુલ બનાવવાનું નક્કી કર્યું છે. તેથી, હવે બાંદ્રા રેલ્વે સ્ટેશનથી ટર્મિનસ અને ખાર સબવે ( Khar Subway ) સુધીના પૂર્વ અને પશ્ચિમ માર્ગોને જોડતા પુલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં આ કાર્ય માટે ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને સંબંધિત વહીવટતંત્રની મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

ચોમાસાની ઋતુ દરમિયાન, પશ્ચિમી ઉપનગરોમાં ( western suburbs ) ખાર સબવે પર વરસાદી પાણી જમા થઈ જાય છે. જેના કારણે ચોમાસામાં અવારનવાર ટ્રાફિક જામની ( Traffic jam ) સમસ્યા સર્જાય છે. જો કે, પશ્ચિમ અને પૂર્વથી ખાર સુધી પહોંચવા માટે આ એકમાત્ર ભૂગર્ભ પરિવહન માર્ગ હોવાથી, આ વિસ્તારના વાહનચાલકો ઘણીવાર કલાકો સુધી રસ્તા પર અટવાઈ જાય છે. આથી આ સબવેના વિસ્તારમાં પુલના અભાવે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પૂર્વ અને પશ્ચિમ દિશાને જોડતો પુલ બનાવવાનું નક્કી કર્યું છે.

 ટૂંક સમયમાં આ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે…

આ અંગે બ્રિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અહીં પુલ બનાવવા માટે સ્થાનિક પ્રતિનિધિઓ અને રહેવાસીઓની ભારે માંગ છે, આ માંગને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ જગ્યાએ પુલ બનાવવાનું નક્કી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan: પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીએ હવે પૂર્વ સરમુખત્યાર અયુબ ખાનના પૌત્રને બનાવ્યો પીએમ ઉમેદવાર.. શું શાહબાઝ શરીફને હરાવશે?

તદુપરાંત, બાંદ્રા પૂર્વ રેલ્વે સ્ટેશન અને બાંદ્રા રેલ્વે ટર્મિનસ ( Bandra railway terminus ) વચ્ચેનું અંતર લાંબુ હોવાથી, ઘણી વખત પ્રવાસીઓને પ્રવાસ કરવા માટે ટ્રાફિકની ભીડને કારણે ઘણી વખત ટેક્સીઓ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામને કારણે ઘણી વખત ત્યાં અટવાઈ જવુ પડે છે. આ જામના કારણે કેટલીક વાર મુસાફરો તેમની પ્રવાસની ટ્રેન પણ ચૂકી જતા હોય છે. તેથી મુસાફરોની અસુવિધાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન અને ટર્મિનસ વચ્ચે બ્રિજ ( Bridge ) બનાવવામાં આવશે. જેથી મુસાફરો આ બ્રિજ પરથી સરળતાથી ટર્મિનસ સુધી પહોંચી શકે. આથી આ બ્રિજનો પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમજ સંબંધિત વિભાગથી તમામ જરુરી મંજુરી મળ્યા બાદ, આ યોજના માટે ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version