Site icon News Continuous Bureau | Mumbai

ઘાટકોપરની આ હૉસ્પિટલનીબિસ્માર હાલત; ICUમાં દર્દીને કરડ્યો ઉંદર, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સંબંધીઓએ દાવો કર્યો છે કે ઉંદર દર્દીની આંખને કરડી ગયો છે. દર્દીને બે દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંબંધીઓ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાની રાજાવાડી હૉસ્પિટલના વહીવટ સામે આ આરોપ લગાવ્યા બાદ દર્દીઓના સ્વાસ્થ્યનો મુદ્દો ફરી એક વખત સામે આવ્યો છે.

આ 24 વર્ષીય દર્દીનું નામ શ્રીનિવાસ યલ્લપ છે. શ્વાસની તકલીફને કારણે બે દિવસ પહેલાં તેમને રાજાવાડી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને મગજઅને પિત્તાશયમાં તકલીફ હોવાનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન તેના સગાંસંબંધીઓએ આજે સવારે દર્દીની આંખમાંથી લોહી નીકળતું જોયું હતું. જ્યારે તેઓએ તેમની આંખ તપાસી, ત્યારે તેઓએ શોધી કાઢ્યું હતું કે તેમને ઉંદરે કરડી ગયો હતો.

અરે વાહ!! મુંબઇ મહાનગર પાલિકાએ રસીકરણના મહાઅભિયાનના પહેલા જ દિવસે વેક્સિનેશનનું લક્ષ્ય હાંસલ કર્યું. આટલા લાખ લોકોને મુકાઈ રસી

ઉલ્લેખનીય છે કે રાજાવાડી હૉસ્પિટલના અધીક્ષક વિદ્યા ઠાકુરે એક મીડિયા હાઉસને કહ્યું હતું કે, ICU રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી અહીં ઘણા બધા ઉંદરો જોવા મળે છે અને પહેલી નજરે એવું લાગે છે કે ઉંદરો આ દર્દીને કરડી ગયો છે. એક સમાચાર ચૅનલના આ સમાચાર પ્રસારિત કર્યા બાદ મેયર કિશોરી પેડણેકરે તરત જ આની નોંધ લીધી અને તપાસના આદેશ આપ્યા છે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version