Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના આ વિસ્તારોમાં જોશીમઠ જેવો ખતરો મંડરાયો, ગમે ત્યારે જમીનમાં સમાઈ શકે છે, આ રિપોર્ટ તમારી ઊંઘ ઉડાડી દેશે

માનવ જયારે-જયારે કુદરતના ચક્રમાં દખલ કરે છે ત્યારે-ત્યારે માણસે કુદરતના રૌદ્ર સ્વરૂપનો સમાનો કરવો પડે છે. તેનું તાજુ ઉદાહરણ છે ઉત્તરાખંડનું જોશીમઠ. ઉત્તરાખંડના જોશીમઠ પર સંકટના વાદળો છવાયા છે. આ સ્થળે બનેલા 2000 ઘરોની પહાડી ટાઉનશીપ ખાલી કરાવવામાં આવી રહી છે. અહીં ગમે ત્યારે ભૂસ્ખલન થવાની સંભાવના છે.

mumbai 74 landslide spots declared as danger by bmc high alert in monsoon period rain at mumbai suburban area

મુંબઈમાં ચોમાસા દરમિયાન ભૂસ્ખલનનો ભય, આ 74 હોટસ્પોટના નાગરિકો માટે રેડ એલર્ટ..

News Continuous Bureau | Mumbai

માનવ જયારે-જયારે કુદરતના ચક્રમાં દખલ કરે છે ત્યારે-ત્યારે માણસે કુદરતના રૌદ્ર સ્વરૂપનો સમાનો કરવો પડે છે. તેનું તાજુ ઉદાહરણ છે ઉત્તરાખંડનું જોશીમઠ. ઉત્તરાખંડના જોશીમઠ ( Joshimath in uttarakhand ) પર સંકટના વાદળો છવાયા છે. આ સ્થળે બનેલા 2000 ઘરોની પહાડી ટાઉનશીપ ખાલી કરાવવામાં આવી રહી છે. અહીં ગમે ત્યારે ભૂસ્ખલન થવાની સંભાવના છે. આને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે, આ બધા વચ્ચે હવે એ ચર્ચા શરૂ થઈ છે કે દેશભરના અન્ય રાજ્યોમાં જોશીમઠ ક્યાં છે. દેશની આર્થિક રાજધાની અને આંતરરાષ્ટ્રીય શહેર કહેવાતા મુંબઈ ( Mumbai  ) શહેર વિશે પણ ખાસ ચર્ચા છે.

મુંબઈમાં જોશીમઠ ક્યાં છે?

મલબાર હિલ, ગોરેગાંવ, કુર્લા, ઘાટકોપર, અસલ્ફા ગામ, સૂર્યનગર, વિક્રોલી પાર્કસાઇટ, એન્ટોપ હિલ, ચેમ્બુર વાશીનાકા, ભાંડુપ, મલાડ અપ્પા પાડા, કાંદિવલી, કુર્લાની કસાઈવાડી હિલ પર લગભગ 35,000 ઝૂંપડીઓ આવેલી છે. આ ઝૂંપડપટ્ટીમાં કેટલાક મકાનો કાચા માલના બનેલા છે અને કેટલાક કોંક્રીટના છે. મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટરે આ ઝૂંપડાઓ અંગે કોઈ ઉકેલ લાવ્યો નથી.

Join Our WhatsApp Channel

281 વસાહતો જોખમી

ગત વર્ષે મુંબઈની પહાડીઓ પર આવેલી 281 વસાહતોને ચોમાસા દરમિયાન જોખમી જાહેર કરવામાં આવી હતી. તેમજ IIT દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ઘણી ઝૂંપડપટ્ટીના કાયમી પુનર્વસનનું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ આ નિર્ણય હજુ કાગળ પર જ છે. મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી ચોમાસું આવે ત્યારે આ વસાહતોનું નિરીક્ષણ કરે છે. જોખમી સ્થળોએ, ઝુંપડીઓને નોટિસ આપવામાં આવે છે, તેમને તાત્કાલિક ઝુંપડીઓ ખાલી કરવા સૂચના આપવામાં આવે છે. પરંતુ પછી કોઈ કાર્યવાહી થતી નથી. જરીમારી, સુંદરબાગ, સંજય નગર, ખાડી નંબર 3, મોહિલી વિલેજ એ બધા કુર્લા ‘એલ’ ડિવિઝનના ડુંગરાળ વિસ્તારો છે. દર વખતે ચોમાસા દરમિયાન ભૂસ્ખલનના કારણે અકસ્માતો થાય છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈવાસીઓ માટે ખુશીઓની સોગાત.. આવતીકાલે નવી મેટ્રો લાઈન સાથે લોન્ચ થશે આ ખાસ એપ.. પ્રવાસીઓને થશે અનેક ફાયદા

માનવીય ભૂલોએ શહેરી વિસ્તારોને જોખમી બનાવી દીધા

છેલ્લા 19 વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો આ વિસ્તારોમાં 25થી વધુ ભૂસ્ખલન થયા છે. તેથી જ ઉત્તરાખંડની જેમ માનવીય ભૂલોએ શહેરી વિસ્તારોને ખતરનાક બનાવી દીધા છે. એ જ રીતે, એ હકીકતને નકારી શકાય નહીં કે મુંબઈના શહેરી વિસ્તારોનો મોટો હિસ્સો પણ જોશીમઠ બની ગયો છે.

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version