Site icon

લૉકડાઉનને કારણે જૂતાચોર અને ખિસ્સાકાતરુઓ પણ બેકાર બન્યા; મંદિર બંધ હોવાથી જૂતાચોરોની નજર હવે સોસાયટીઓ પર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાના કારણે મંદિર બંધ હોવાથી જૂતાચોરોના ગોરખધંધાને પણ માઠી અસર થઈ છે. હવે પોતાનો આ ધંધો ચાલુ રાખવા માટે જૂતાચોરોએ નવો કીમિયો અજમાવ્યો છે. હવે મંદિરને બદલે સોસાયટીઓ તેમના નિશાના પર છે. જૂતાચોરો સોસાયટીમાં ઘૂસી ઘરની બહારથી નવાં અને મોંઘાં જૂતાં ઉઠાવી જાય છે.

હાલ જૂતાચોરોના નિશાના પર દક્ષિણ મુંબઈનો ગિરગાંવ વિસ્તાર છે. ગયા વીકએન્ડમાં અહીંની એક સોસાયટીમાંથી ડઝન કરતાં વધુ પગરખાં ચોરાઈ ગયાં હતાં. સોસાયટીના CCTV ફૂટેજમાં આ ચોર કેદ થયા હતા. ચોરો ઘરની બહારના શુરેકમાંથી પગરખાં ઉપાડી ગયા હતા. ચોરો રાત્રે આઠ વાગ્યા આસપાસ સોસાયટીમાં ઘૂસે છે, કારણ કે મોટા ભાગે લોકો ત્યારે ટીવી જોવામાં અથવા જમવામાં વ્યસ્ત હોય છે.

આમિર અને કિરણના છૂટાછેડા પર રાખી સાવંતે કહ્યું, 'આમિરજી હું કુંવારી છું'

ઉલ્લેખનીય છે કે દર શુક્રવારે ચોરબજાર, બે ટાંકી અને દેઢ ગલીમાં સવારે બજાર ભરાય છે, ત્યાં આ ચોરો જૂતાં વેચે છે. જોકે આ અંગે હજી કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી. આ ઉપરાંત ખિસ્સાકાતરુઓની હાલત પણ આવી જ છે. કોરોનાને કારણે લોકલ ટ્રેન અને બસમાં ભીડ ઘટતાં તેમનો પણ આ ગોરખધંધો બંધ થઈ ગયો છે.

Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Exit mobile version