Site icon News Continuous Bureau | Mumbai

‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના’ : પાલિકાનો દાવો કે આ વખતે મુંબઈમાં પાણી નહીં ભરાય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે ચાલુ વર્ષે તેમણે મુંબઈ શહેરમાં મોજૂદ નાળાંઓમાંથી ૯૦ ટકા કચરો કાઢી લીધો છે. આ આંકડાના આધારે મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરી છે કે ચાલુ વર્ષે મુંબઈમાં પાણી નહીં ભરાય.

પાલિકાના આંકડા મુજબ મુંબઈ શહેરમાં 96%, પૂર્વ ઉપનગરમાં 91%, પશ્ચિમ ઉપનગરમાં 94% નાળાં સાફ થઈ ગયાં છે.

આ ઉપરાંત જે જગ્યાએ પ્રતિવર્ષ પાણી ભરાય છે એ જગ્યાઓ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ બધાં કામને આધારે પાલિકાએ દાવો કર્યો છે કે ચાલુ વર્ષે મુંબઈમાં પાણી નહિ ભરાય.

જોકે પાલિકાના દાવાથી બિલકુલ વિપરીત એમ થોડા દિવસ અગાઉ જ્યારે વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે મુંબઈ શહેર આખેઆખું જળબંબાકાર થઈ ગયું હતું.

Mumbai Bike Theft Racket 2026। મુંબઈમાં અનોખું રેકેટ બાઈક ચોરી કરી ફૂડ ડિલિવરી બોયઝને ભાડે આપતો શખ્સ ઝડપાયો
Tragic Accident in Thane। થાણેમાં લોખંડની સીડીમાં કરંટ ઉતરતા ૬ વર્ષના બાળકનું મોત; તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ
Mumbai Airport T1 Fraud Case। મુંબઈ એરપોર્ટ પર વિદ્યાર્થીની સાથે છેતરપિંડી પરીક્ષાના બહાને ગઠિયો ૩૧,૮૦૦ રૂપિયા પડાવી ગયો
Mumbai Marine Drive Car Fire। મુંબઈના મરીન ડ્રાઈવ પર દોડતી કાર બની આગનો ગોળો પાંચ પ્રવાસીઓનો આબાદ બચાવ
Exit mobile version