Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ રેલવે પ્રશાસનનો ગજબ કારભાર; પ્રવાસીઓની સંખ્યા ઘટી એટલે તમામ રેલવે સ્ટેશને પંખા બંધ કરી દીધા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

હાલમાં મુંબઈ રેલવે પ્રશાસને અંગત રીતે ગજબનો નિર્ણય લઈ અને એને અમલમાં મૂકી દીધો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતાં મુંબઈનાં તમામ રેલવે સ્ટેશન પર પંખા બંધ કરી દેવાયાં છે. બોરીવલીમાં રહેતા ભાવેશભાઈએ આ અંગે ટ્વિટર પર રેલવેને મરીન લાઇન્સ સ્ટેશને કાળઝાળ ગરમીમાં પંખા કામ ન કરતાં હોવાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ અંગે રેલવે પ્રશાસને આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો. પશ્ચિમ રેલ્વેના ડિવિઝનલ રેલવે મૅનેજરે-રેલવેના મુંબઈ વિભાગના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ દ્વારા જવાબ અપાયો હતો કે “લૉકડાઉન અને મુસાફરોના ઓછા ધસારાને કારણે વીજળી બચાવવા માટે વિદ્યુત ઉપકરણોને જ્યારે મુસાફરોની મોટા પ્રમાણમાં સંખ્યા હોય ત્યારે જ શરૂ કરવામાં આવે છે.”

ગુજરાતમાં નવાજૂનીનાં એંધાણ, લેઉવા અને કડવા પટેલની સંયુક્ત બેઠક મળી; આમ આદમી પાર્ટીનાં વખાણ થયાં

આ જવાબ જોતાં ભાવેશભાઈ ચોંકી ગયા હતા. ઉપરાંત આ નિર્ણય પર કટાક્ષ કરતાં એક ટ્વિટર યુઝરે કમેન્ટ કરી કે “આશા છે કે તમારી દરેક ઑફિસમાં આ જ પ્રોટોકોલ લાગુ પડે છે, ઓછી હાજરીને કારણે પંખા/એસી આ ગરમ મોસમમાં પણ બંધ રાખવામાં આવે છે.”

MTHL Housing Fraud। MTHL પ્રોજેક્ટના નામે કરોડોનું ફૂલેકું પૂર્વ સાંસદના ક્વોટામાંથી ફ્લેટ અપાવવાની લાલચ આપી ૧.૧૨ કરોડની છેતરપિંડી, પાંચ સામે ગુનો દાખલ
Torres Investment Scam Back Online। કરોડોનું ‘ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ’ ફરી સક્રિય વિદેશથી ઇન્ટરનેશનલ કોલ્સ દ્વારા જૂના રોકાણકારોને ટાર્ગેટ કરાતા ફફડાટ
Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Exit mobile version