Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ રેલવે પ્રશાસનનો ગજબ કારભાર; પ્રવાસીઓની સંખ્યા ઘટી એટલે તમામ રેલવે સ્ટેશને પંખા બંધ કરી દીધા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

હાલમાં મુંબઈ રેલવે પ્રશાસને અંગત રીતે ગજબનો નિર્ણય લઈ અને એને અમલમાં મૂકી દીધો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતાં મુંબઈનાં તમામ રેલવે સ્ટેશન પર પંખા બંધ કરી દેવાયાં છે. બોરીવલીમાં રહેતા ભાવેશભાઈએ આ અંગે ટ્વિટર પર રેલવેને મરીન લાઇન્સ સ્ટેશને કાળઝાળ ગરમીમાં પંખા કામ ન કરતાં હોવાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ અંગે રેલવે પ્રશાસને આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો. પશ્ચિમ રેલ્વેના ડિવિઝનલ રેલવે મૅનેજરે-રેલવેના મુંબઈ વિભાગના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ દ્વારા જવાબ અપાયો હતો કે “લૉકડાઉન અને મુસાફરોના ઓછા ધસારાને કારણે વીજળી બચાવવા માટે વિદ્યુત ઉપકરણોને જ્યારે મુસાફરોની મોટા પ્રમાણમાં સંખ્યા હોય ત્યારે જ શરૂ કરવામાં આવે છે.”

ગુજરાતમાં નવાજૂનીનાં એંધાણ, લેઉવા અને કડવા પટેલની સંયુક્ત બેઠક મળી; આમ આદમી પાર્ટીનાં વખાણ થયાં

આ જવાબ જોતાં ભાવેશભાઈ ચોંકી ગયા હતા. ઉપરાંત આ નિર્ણય પર કટાક્ષ કરતાં એક ટ્વિટર યુઝરે કમેન્ટ કરી કે “આશા છે કે તમારી દરેક ઑફિસમાં આ જ પ્રોટોકોલ લાગુ પડે છે, ઓછી હાજરીને કારણે પંખા/એસી આ ગરમ મોસમમાં પણ બંધ રાખવામાં આવે છે.”

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version