Site icon

દાદરમાં ફેરિયાઓની વિડિયોગ્રાફી કરનારા વેપારીની પોલીસ સતામણીના મામલે હવે પોલીસ કમિશનરે આપ્યો તપાસનો આદેશ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈના દાદર વિસ્તારમાં કપડાંના વેપારી કમલ શાહ સાથે ચાર દિવસ પહેલા દાદરની પોલીસે કરેલી ગેરવર્તણૂક બાદ વેપારીઓ હજી વીફર્યા છે. વેપારી સંગઠનોએ આ ઘટનાની ટીકા કરી વિરોધ કર્યો હતો. વેપારીઓએ કહ્યું હતું કે પોલીસની દાદાગીરીને તાબે હવે નહીં થઈએ. હવે આ મામલે મુંબઈના પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

આ બાબતે ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું છે કે “મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આ મામલની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.” કમલ શાહ સાથે થયેલી ગેરવર્તણૂક બાદ ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશને પોલીસ કમિશનર, મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને પર્યટનપ્રધાન આદિત્ય ઠાકરેને ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સરકારના પ્રતિબંધોને કારણે પહેલાંથી વેપારી વર્ગ પરેશાન છે. તેવામાં આ ઘટનાથી નારાજ વેપારીઓએ સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી હતી અને તેને પગલે સરકારે આ મામલે નમતું જોખવું પડ્યું છે.

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version