Site icon News Continuous Bureau | Mumbai

દાદરમાં ફેરિયાઓની વિડિયોગ્રાફી કરનારા વેપારીની પોલીસ સતામણીના મામલે હવે પોલીસ કમિશનરે આપ્યો તપાસનો આદેશ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈના દાદર વિસ્તારમાં કપડાંના વેપારી કમલ શાહ સાથે ચાર દિવસ પહેલા દાદરની પોલીસે કરેલી ગેરવર્તણૂક બાદ વેપારીઓ હજી વીફર્યા છે. વેપારી સંગઠનોએ આ ઘટનાની ટીકા કરી વિરોધ કર્યો હતો. વેપારીઓએ કહ્યું હતું કે પોલીસની દાદાગીરીને તાબે હવે નહીં થઈએ. હવે આ મામલે મુંબઈના પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

આ બાબતે ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું છે કે “મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આ મામલની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.” કમલ શાહ સાથે થયેલી ગેરવર્તણૂક બાદ ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશને પોલીસ કમિશનર, મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને પર્યટનપ્રધાન આદિત્ય ઠાકરેને ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સરકારના પ્રતિબંધોને કારણે પહેલાંથી વેપારી વર્ગ પરેશાન છે. તેવામાં આ ઘટનાથી નારાજ વેપારીઓએ સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી હતી અને તેને પગલે સરકારે આ મામલે નમતું જોખવું પડ્યું છે.

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version