Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપરે! મ્યુકરમાઈક્રોસીસને કારણે મુંબઈમાં આટલા લોકોએ આંખ ગુમાવી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાની ગંભીર બીજી લહેર બાદ મ્યુકરમાઈક્રોસીસએ કહેર મચાવ્યો હતો. આ રોગને કારણે થતા ફૂગને કારણે આંખને ગંભીર નુકસાન થાય છે. આને કારણે મુંબઈમાં પણ અનેક લોકોએ પોતાની આંખ ગુમાવી છે. જોકે, હવે કોરોનાની બીજી લહેર ઓસરતા મ્યુકરમાઈક્રોસીસના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. 
મ્યુકરમાઈક્રોસીસને કારણે મુંબઈમાં ૫૦ લોકોએ પોતાની એક આંખ ગુમાવી છે. તો બીજા ૬૦ લોકોએ પોતાની બંને આખો ગુમાવી છે. કોરોનાથી સાજા થયેલા અનેક દર્દીઓ મ્યુકરમાઈક્રોસીસના ભોગ બન્યા હતા. તો મહારાષ્ટ્રમાં મ્યુકરમાઈક્રોસીસના લગભગ 9 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. આ રોગને કારણે રાજ્યમાં ૧૦૦૦ લોકોનો ભોગ લેવાયો છે.

મુંબઈની સુરક્ષા પર ખતરો : મહાનગરમાં ગેરકાયદે સહજતાથી વેચાઈ રહ્યા છે ડ્રોન; ચોંકાવનારી હકીકત સામે આવી

ઉલ્લેખનીય છે કે આમાંના ૧૨૯ મુંબઈના લોકોના મોત મ્યુકરમાઈક્રોસીસને કારણે થયા હતા. તો પુણેમાં સૌથી વધુ ૧૭૮ મૃત્યુ નોંધાયા હતા. નાગપુરમાં મ્યુકરમાઈક્રોસીસને કારણે ૧૧૮ લોકોના મોત નીપજ્ય હતા. જોકે, લગભગ ૪૩૫૭ લોકો મ્યુકરમાઈક્રોસીસથી સજા પણ થઈ ગયા હતા.

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version